SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૫૯ ધાબાબંધી દર્શાવવામાં આવેલું હતું. પાષાણના દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતા અને વહીવટ શેઠ વાડીલાલ છોટાલાલ હસ્તક હતો. તે સમયે ધાતુની એક ગુરુમૂર્તિ પણ બિરાજમાન હતી અને રંગનું ચિત્રકામ સારું હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયની દેખરેખ શ્રી શશિકાંતભાઈ નટવરલાલ શાહ રાખે છે, જેઓ બોરપીપળાની ઝવેરીની ખડકીમાં રહે છે. જિનાલયના વહીવટદાર શ્રી કાંતિલાલ મણીલાલ પરીખ છે. તેઓ હાલમાં મુંબઈમાં વસે છે. પ્રવેશદ્વાર ઉપરની ભીંતે સરસ્વતીદેવી તથા તેની આજુબાજુ મુનિ ભગવંતની મૂર્તિઓનાં શિલ્પો છે. બારસાખ લાકડાની સુંદર કોતરણીયુક્ત છે. રંગમંડપમાં દીવાલો પર સુંદર ચિત્રકામ તથા પટ છે. રંગમંડપમાં ક્યાંય પણ નજર પડે તો તીર્થોનાં દર્શન થાય ! ચંપાપુરી, અષ્ટાપદ રાજગૃહી, કેશરિયાજી, નંદીશ્વરદ્વીપ, ઈડર, ભોંયણી, તળાજા, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, તારંગાજી અને પાવાપુરીના ચિત્રાંકન કરેલા પટ છે. વચ્ચે રહેતી ખાલી જગ્યામાં આદેશ્વરજીના અને શ્રીપાલરાજાના જીવનપ્રસંગો ચિત્રિત કરેલા છે. કંસારી પાર્શ્વનાથના જિનાલયની પેઠે અહીં પણ દીવાલો પટ તથા તીર્થકર અને સુશ્રાવકોના જીવનપ્રસંગોના ચિત્રાંકનથી ભરચક છે. મૂળનાયક ચૌમુખજીની ચાર પ્રતિમા સિવાય અન્ય પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન છે. તમામ પ્રતિમાજીઓ પરિકરયુક્ત છે. ચૌમુખજીને પરિકર નથી. શ્રી જિનદત્તસૂરિનાં પગલાં પણ આ જિનાલયમાં વિદ્યમાન છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬પ૦ની આસપાસના સમયનું છે. ખારવાડો - મુનિસુવ્રત સ્વામી (સં ૧૭૦૧ પહેલાં) કન્યાશાળા બાજુથી ખારવાડામાં પ્રવેશ કરીએ તો એક જ પરિસરમાં આવેલા તથા એક જિનાલયમાંથી બીજા જિનાલયમાં જવાય તેવાં ત્રણ જિનાલયો વિદ્યમાન છે. સૌથી પહેલાં મુનિસુવ્રતસ્વામીનું કાચનું ધાબાબંધી નાનું પણ નયનરમ્ય જિનાલય આવે છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૬૭૭ વર્ષે કાર્તિક સિત.....” એ મુજબનું લખાણ વંચાય છે. તથા મૂળનાયકની પ્રતિમાના પબાસનના આગળના ભાગ ઉપર લેખમાં “સં૧૬૭૭ મુનિસુવ્રતબિંબ પ્રવા કુઅરિ બાઇ રૂપમાઈ કા. શ્રી તપાગચ્છ શ્રી વિજયદેવસૂરિભિઃ' વંચાય છે જ્યારે મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાના લેખ પર સંવત ૧૬૪૪ અને વિજયસેનસૂરિનું નામ વંચાય છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત “áબાવતી તીર્થમાલામાં ખારવાડામાં આવેલા મુનિસુવ્રતસ્વામીના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy