SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો અથ અલિંગમાં દેહરું-૧ ૮૦. શ્રી આદિનાથ ભગવાન અમથા તબકીલવાલાનું દેહશું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં પણ માણેકચોકના મહેલાનાં જિનાલયો દર્શાવ્યા બાદ અલીંગ નામના મેહેલ્લામાં ક્રમાંક-૭૯માં રીષભદેવ સ્વામીનાં જિનાલયનો ઉલ્લેખ કરેલો છે. અલીંગ મહેલ્લામાં ૭૯. રીષભદેવ સ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય અલિંગ નામના વિસ્તારમાં ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે અને પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં અલિંગ વિસ્તારમાં આવેલા મુનિસુવ્રતસ્વામીનાથમાં પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે અને તે સમયે વહીવટ શાહ ઠાકરશી ધરમચંદ હસ્તક હતો. તેઓ તે સમયે ટેકરી આગળ રહેતા હતા. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં મુનિસુવ્રત સ્વામીનું જિનાલય લાડવાડામાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે આ ધાબાબંધી જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે પણ વહીવટ શાહ ઠાકરશી ધરમચંદ હસ્તક હતો. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવેલી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં લાડવાડામાં અભિનંદન સ્વામીના જિનાલયની સાથે બીજું જિનાલય મુનિસુવ્રત સ્વામીનું દર્શાવવામાં આવેલું છે. અલિંગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અલિંગના વિસ્તારને કોઈક કારણસર લાડવાડામાં દર્શાવવામાં આવેલો છે. આજે મુનિસુવ્રત સ્વામીનું જિનાલય અલિંગ નામના વિસ્તારમાં જ ગણાય છે. એટલે કે મુનિસુવ્રત સ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ “અલિંગ” નામ સાથે સં ૧૬૭૩માં, સં૧૯૬૩માં, સં. ૧૯૮૪માં તથા સં. ૨૦૧૦માં લાડવાડામાં (અલિંગ પાસેનો વિસ્તાર) મળે છે. અત્યારે આ જિનાલય જીર્ણ હાલતમાં છે. જિનાલય ધાબાબંધી હતું. ધાબામાં એક ઓરડી હતી. જીર્ણોદ્ધાર પહેલાં અહીં લાકડાના પીઢિયાની છત હતી. અગાઉ આશરે વીસ વર્ષ પહેલાં લાકડાના પીઢિયા ફરી બનાવેલા હતા. પણ ફરી જીર્ણોદ્ધારની જરૂર ઊભી થતાં હાલ જીર્ણોદ્ધાર શરૂ થયો છે. વહીવટ કરનાર શ્રી બાબુભાઈ ફૂલચંદ શાહે માહિતી આપી કે હવે આરસનું જિનાલય બનાવવાનું આયોજન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy