SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ટેકરી સુમતિનાથ - ઘરદેરાસર (સં. ૧૯૮૪ પહેલાં) ટેકરી વિસ્તારમાં શ્રી પ્રેમચંદ્ર ફતેહચંદ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. આ ઘરદેરાસરમાં પંચતીર્થી પરિકરયુક્ત ચાંદીના શ્રી સુમતિનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. ખંભાતનાં જિનાલયો ટેકરી પર આવેલા આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૮૪માં મળે છે. તે સમયે ટેકરી પર શ્રી સંભવનાથજી તથા શ્રી સુમતિનાથજી- એમ બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં. સ્થાનિક કથા પ્રમાણે શ્રી સંભવનાથજીના ઘરદેરાસરના પ્રતિમાજીઓ સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવેલાં છે. તે સમયે સુમતિનાથજીના ઘરદેરાસરમાં ધાતુની ચાર પ્રતિમાજીઓ તથા ચાંદીની એક પ્રતિમાજી બિરાજમાન હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ બંને ઘરદેરાસરો વિશે પૃ॰ ૩૮ ૫૨ નીચે મુજબની નોંધ છે ઃ ટેકરી તરફ જતાં શેઠ પોપટભાઈ અમરચંદના વંડામાં બે ઘરદેરાસરો છે.’ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ટેકરી વિસ્તારમાં બે ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સંભવનાથજીના ઘરદેરાસરમાં તે સમયે ધાતુની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. શેઠ અમરચંદ પ્રેમચંદ પરિવારનું એ ઘરદેરાસર ત્રીજે માળ હતું અને તેનો વહીવટ તે સમયે નાનજીભાઈ પોપટલાલ હસ્તક હતો. સુમતિનાથજીના ઘરદેરાસરમાં ધાતુની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને શેઠ જેઠાભાઈ પ્રેમચંદ પરિવારનું આ ઘરદેરાસર બીજે માળ હતું. તેનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે આ ઘરદેરાસરનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. ટૂંકમાં આ બંને ઘરદેરાસરો શ્રી પ્રેમચંદ્ર ફતેચંદ પરિવારના હતાં. આજે પ્રેમચંદ ફતેચંદ પરિવારનું- સુમતિનાથજીનું આ ઘરદેરાસર પોપટલાલ અમરચંદના વંડામાં આવેલું છે. હાલ આ જિનાલય અગાશીમાં આવેલી ખૂણાની એક ઓરડીમાં છે. આ ઓરડીમાં નાના ગભારાની રચના છે. તેમાં છત્રયુક્ત સિંહાસનમાં મૂળનાયક શ્રી સુમતિનાથજીની ચાંદીની પ્રતિમા ઉપરાંત ધાતુની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગોખ જેવા આ સિંહાસનની રચનામાં મહદ્ અંશે ચાંદીનો ઉપયોગ થયેલો જણાય છે. ઉપરનું છત્ર લાકડાનું છે. મૂળનાયક શ્રી સુમતિનાથજીની પ્રતિમા પર સં ૨૦૪૩નો લેખ છે. આ જિનાલયની નીચે શેઠ પ્રેમચંદ ફતેચંદની ધર્મશાળા છે. ત્યાં આજે પાઠશાળા બેસે છે. જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ અંગે જિનાલયના પ્રવેશદ્વારની ઉપરની દીવાલ ૫૨ એક લેખ લખેલ છે, જે નીચે મુજબ છે : “શેઠ શ્રી પ્રેમચંદ ફતેચંદ ગૃહમંદિર તથા ધર્મશાળા પ્રશસ્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy