SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશિત થવાથી એક લાભ થયો કે તેમાં રહેલી ક્ષતિઓ જાણવા મળી અને હવે પછીના પ્રકાશનોમાં તેને સુધારી લેવાની તક મળી છે. બીજા તબક્કામાં ગુજરાતના યથાશક્ય સમગ્ર જિનાલયોની માહિતી એકઠી દસ ભાગોમાં પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને તે પ્રમાણે નિર્ધારિત સમયમાં ખંભાતનાં જિનાલયો નામનો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ આનંદ થાય તે સ્વભાવિક છે. શ્રી ચંદ્રકાન્ત કડિયા અને તેઓના સહકાર્યકરોએ અથાગ પરિશ્રમ કરી આ કાર્ય સફળ બનાવ્યું છે તે બદલ તેઓની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. - હવે પછી ગુજરાતના તમામ તીર્થો અને જિનાલયોનો ઇતિહાસ તથા ઉપયોગી માહિતી પણ એકઠી કરી ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવાનું વિશાળ અને શ્રમસાધ્ય કાર્ય શ્રી ચંદ્રકાન્ત કડિયાએ સ્વીકાર્યું છે. તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. યોજના અનુસાર બીજા ગ્રંથો પણ યથાશીઘા તૈયાર કરી આપશે તેવી આશા છે. આ ગ્રંથની માહિતી એકઠી કરવા માટે મુખ્ય આર્થિક સહયોગ “શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ”—અમદાવાદ, તરફથી પ્રાપ્ત થયો છે. છબીઓ (ફોટોગ્રાફ્સ) તથા પ્રકાશન માટે સંબોધિ સંસ્થાન,” અમદાવાદ સંસ્થાએ અને ગ્રંથ સંરચના, કૉપ્યુટર આદિ દ્વારા સુંદર ગ્રંથ પ્રકાશન માટે શારદાબેન ચિમનભાઈ એજયુકેશનલ રિસર્ચ સેન્ટર અમદાવાદનો બહુમૂલ્ય સહકાર અને સહયોગ મળ્યો છે તે બદલ તે સહુનો આ પ્રસંગે ખૂબ જ આભાર માનું છું. ફેબ્રુઆરી-૨૦૦૦, અમદાવાદ. - શ્રેણિક કસ્તુરભાઈ પ્રમુખ આ. ક. પેઢી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy