SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ખંભાતનાં જિનાલયો ૫૩. શ્રેયાંસનાથજીનું ૫૪. સુવિધીનાથજીનું ૫૫. ચંદ્રપ્રભુજીનું (નં. ૫૩-૫૪-૫૫ વાળા દેહરાં ભેગાં છે.) ૫૬. મનમોહન પારસનાથજીનું પ૭. ચીંતામણ પારસનાથજીનું ૫૮. ચંદ્રપ્રભુજીનું ૫૯. શીતલનાથજીનું ૬૦. મોહોર પારસનાથજીનું ૬૧. ચોમુખજીનું ૬૨. વીમળનાથજીનું ૬૩. શાંતિનાથજીનું. સં. ૧૬૭૩માં દર્શાવવામાં આવેલાં જિનાલયો પૈકી સં. ૧૭૦૧માં ચોમુખ વિમલનાથના જિનાલય તથા તેમનાથના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. ઉપરાતં સં ૧૭૦૧માં શાંતિનાથજીનાં બે જિનાલયો અને સોમચિંતામણિ પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ પ્રથમવાર થયેલો છે. જયારે સં૧૯૦૦માં અને સં૧૯૪૭માં શાંતિનાથજીના એક જિનાલયનો ઉલ્લેખ થયેલો છે અને સં૧૯૦૦માં ‘શાંતિનાથ મેડી” ઉપર તેવો ઉલ્લેખ મળે છે. તે સમયે (સં. ૧૯૦૦માં) આ વિસ્તારમાં મહાવીર સ્વામી– ગૌતમસ્વામીનું દેહરું–ના જિનાલયનો ઉલ્લેખ પ્રથમ વાર મળે છે. સં. ૧૯૪૭માં શ્રેયાંસનાથ, સુવિધિનાથ તથા ચંદ્રપ્રભુ(ક્રમાંક ૫૩-૫૪-૫૫)ના જિનાલયનો ઉલ્લેખ કરતાં આ દેહરાં ભેગાં છે તેવી કૌંસમાં ખાસ નોંધ મૂકવામાં આવી છે. તે સમયે વિમલનાથજીનું જિનાલય અને ચોમુખજીનું જિનાલય એમ બે અલગ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૦૧માં મહાલક્ષ્મીની પોળના વિસ્તારમાં, સં. ૧૯૦૦માં પણ મહાલક્ષ્મીની પોળના જ વિસ્તારમાં અને સં૧૯૪૭માં ચોકસીની પોળમાં થયેલો છે. પરંતુ આજે આ જિનાલય ચોકસીની પોળ કે મહાલક્ષ્મીની પોળમાં વિદ્યમાન નથી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં પૃ. ૩૭ પર “મહાવીર સ્વામીના જિનાલયની નજીકમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રાચીન જિનાલયની જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલય જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયોના ભુવનમાં (ત્રીજે માળ ડાબી બાજુની દેવકુલિકામાં) સમાવિષ્ટ થયેલું છે. સુખસાગર પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૭૩માં ચોકસીની પોળના વિસ્તારમાં, સં. ૧૭૦૧માં લાંબો ઓટિ સુગ(ખ)સાગર પોલિ (ચોકસીની પોળ)ના વિસ્તારમાં, સં૧૯૦૦માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy