SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ખંભાતનાં જિનાલયો ખંભાતનાં ગુરુમંદિરો અને વીરસ્થાનકો ચિતારી બજાર ચિતારી બજારમાં એક જ કંપાઉંડમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી આદેશ્વર તથા શ્રી ચૌમુખજીના જિનાલય સાથે કુલ પાંચ ગુરુમંદિરો આવેલાં છે. ૧. ન્યાયાભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મ ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રી આદેશ્વરના જિનાલયની ડાબી બાજુ આવેલું છે. તેની ડાબી બાજુ એક ઓરડી આવેલી છે. આ ગુરુમંદિરમાં પાષાણની કુલ ૩ ગુરુમૂર્તિઓ છે જેમાં મધ્યે આ શ્રી વિજયાનંદસૂરીશ્વરની મૂર્તિ બિરાજે છે. તેમની જમણી બાજુએ આઇ શ્રીવિજયકમલસૂરીશ્વર મ અને ડાબી બાજુ આ. વિજયદાનસૂરીશ્વર મ. ની મૂર્તિઓ બિરાજે છે. આ ત્રણેય મૂર્તિઓ પર સં. ૧૯૯પનો લેખ છે. આ ગુરુમંદિર દલાલ મૂળચંદ ડાહ્યાભાઈએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી ડાહ્યાભાઈ દલાલના સ્મરણાર્થે બંધાવી તેમાં ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા આ શ્રીવિજયપ્રેમસૂરીશ્વરજીના હસ્તે કરાવી શ્રી તપાગચ્છ અમર જૈન શાળાના સંઘને સં ૧૯૯૫ના માગશર સુદ ૬ ને સોમવારના દિને અર્પણ કરલું છે. ૨. પ. પૂ. નીતિવિજયજી દાદાનું ગુરુમંદિર આ ગુરુમંદિર શ્રીવિજયાનંદસૂરીશ્વર મગુરુમંદિરની બાજુમાં આવેલી ઓરડીની બાજુમાં આવેલું છે. અહીં ઘુમ્મટયુક્ત છત્રમાં પાષાણની કુલ ત્રણ ગુરુમૂર્તિઓ બિરાજે છે તથા પાષાણની પગલાંની કુલ બે જોડ છે. અહીં વચ્ચે શ્રી નીતિવિજયજી દાદાની મૂર્તિ, તેમની જમણી બાજુ પૂ આ શ્રી વીરસૂરીશ્વરજીની અને ડાબી બાજુ પૂ. પં. શ્રી શાન્તિવિજયજીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ ત્રણેય મૂર્તિઓ પર નીચે મુજબ લેખ છે : સં ૧૯૮૦ વર્ષે માઘ શુક્લ પક્ષે ત્રયોદશી તિથી ૧૩ ચન્દ્રવાસરે શ્રી રાજધન્યપુર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠી કૃષ્ણદાસ ચાપસી ઈત્યસ્ય ચુનીલાલ નાગ્ના સુપુત્રેણ સ્વપિતૃ શ્રેયાર્થે શ્રીમદ્ બૃહત્તપાગચ્છાધિરાજ શ્રીમદ્ બુદ્ધિવિજયમુનીશ્વર શિષ્યરત્ન વૈરાગ્યવારાનીધિ શ્રીમન્નીતિવિજય જિન્યૂર્તિઃ કારિતા પ્રતિષ્ઠિતા ચ શ્રીમતાનેવ પ્રશિષ્યઃ જૈનાગમ મહોદધિભિઃ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરિભિઃ શ્રી સ્તંભતીર્થે ” વિ. સં. ૧૯૮૬ વર્ષે જયેષ્ઠ શુકલ ૪ શનિવાસરે તપાગચ્છીય શ્રીમન્નતિવિજય શિષ્ય પં. વિનયવિજય શિષ્ય શ્રીવિજયવીરસૂરીશ્વરરત્યેય મૂર્તિ પં. લાભવિજયેન શ્રી સ્તંભતીર્થે સ્થાપિતા” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy