SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૩૭ વડવા આદેશ્વર (સં. ૧૯૮૨) ખંભાત શહેરની પૂર્વ દિશાએ કેટલાક ખેતરોથી દૂર વડવા નામે એક નાનું ગામ છે. અહીં એક વાવ અને તેની નજદીકમાં એક વડ ત્યાંના વટેમાર્ગુઓ માટેનું વિશ્રામસ્થાન બન્યું હતું જેને કારણે વડવા નામ અસ્તિત્વમાં આવ્યું. પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર સંવત ૧૯૫૨ના ભાદરવા સુદ દશમના અરસામાં રાળજથી વડવા પધાર્યા. વાવની બાજુમાં એક મંદિર અને એક વંડી હતી. મેડી ઉપર તેઓ લગભગ સાત દિવસ રહ્યા હતા. એક દિવસ કેટલાક મુમુક્ષોઓની હાજરીમાં મેડી ઉપરની બારીમાંથી દક્ષિણ દિશા તરફની સામેની ટેકરી તરફ આંગળી ચીંધી કહ્યું : “આ સુવર્ણભૂમિ છે. અહીં પરમ ઉપકારી શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે.” ત્યારબાદ સં. ૧૯૭રના આસો સુદ ૧૫ના રોજ વડવાની આ જમીનમાં પાયાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બાંધકામનું કાર્ય પૂરું થતાં સં. ૧૯૮૨ના માગશર સુદ સાતમના રોજ વડવામાં શ્રી ચંદ્રપ્રભુ જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમાઓની સ્થાપના પણ કરવામાં આવી. આ જિનાલયના બાંધકામમાં પૂજ્ય ભાઈશ્રીના હુલામણા નામથી ઓળખાતા પોપટલાલ મોહકમચંદનો ફાળો મહત્ત્વનો છે. વડવા તીર્થમાં પ્રવેશી મુખ્ય પ્રવેશદ્વારથી આગળ જતાં એક વિશાળ ચોગાન જેવી રચના જોવા મળે છે. જમણી બાજુ જમવા માટેની વ્યવસ્થા તથા રસોડું છે. ડાબી બાજુ યાત્રાળુઓને રહેવા માટેની ઓરડીઓ અને તેની બાજુમાં ઉપાશ્રય છે. આ સ્થળની લાક્ષણિકતા એ છે કે અહીં ચારેબાજુની દીવાલો પર સવિચાર તથા વચનામૃતો મોટા અક્ષરથી લખવામાં આવ્યાં છે. ઉપર જણાવેલ ઉપાશ્રયની મેડી ઉપર પિત્તળનું શ્રી સદગુરુ પ્રાસાદ મંદિર તથા ચાંદીનું મંદિર આવેલું છે. એક અર્થમાં આને મ્યુઝિયમ (સંગ્રહસ્થાન) પણ કહી શકાય, કારણ કે અહીં શ્રીમદ્ રાજચંદ્રજીનાં વસ્ત્રો, તેઓનો પલંગ, બેસવાની પાટ, કેટલીક હસ્તપ્રતો, જે વૃક્ષ નીચે તેઓ પ્રતિબોધતા તે વૃક્ષના થડનો ભાગ, તેમણે લખેલા પત્રો, તેઓની લોકો સાથેની મુલાકાતોના ફોટા ઉપરાંત પૂજય ભાઈ શ્રી પોપટલાલ મોહોકમભાઈનાં વસ્ત્રો, તેઓની બેસવાની ગાદી તથા શ્રીમદ્ ચાંદીનું મંદિર વગેરે સંગૃહીત કરી સાચવવામાં આવેલ છે. વિશાળ ચોગાનના પ્રવેશદ્વારને ઓળંગી આગળ જતાં સન્મુખ શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય નજરે પડે છે. જિનાલય ભોંયરામાં છે. આ જિનમંદિરના પ્રવેશદ્વારની બારશાખ પર “ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય' એવું લખાણ છે. અહીં ગભારામાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વરજી બિરાજમાન છે અને ચંદ્રપ્રભસ્વામી તેઓની જમણી બાજુ બિરાજે છે. જિનાલયમાં પ્રવેશવા માટે બે પ્રવેશદ્વાર છે. જે પૈકી એક પ્રવેશદ્વારની બાજુમાં ગુરુમંદિર આવેલું છે. આ પ્રવેશદ્વારથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy