SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૧૩ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળમાં (૧) કુંથુનાથ (૨) આદીશ્વર (નેમનાથ બાજુમાં) એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. આજે નેમનાથજીની આ પ્રતિમા મૂળનાયક શ્રી આદેશ્વરજીના જિનાલયમાં જમણા ગભારે મૂળનાયક તરીકે બિરાજમાન છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળ વિસ્તારમાં કુલ બે જિનાલયો (૧) આદિનાથ (૨) કુંથુનાથ વિદ્યમાન હતાં. આજે પણ માંડવીની પોળમાં ઉપર જણાવેલ બે જિનાલયો (૧) આદેશ્વર (૨) કુંથુનાથ વિદ્યમાન છે. ઉપરાંત શ્રી કુંથુનાથજીના જિનાલયના વહીવટકર્તા શ્રી જયંતિભાઈ દીપચંદ શાહ, જેઓની ઉંમર ૭૯ વર્ષની છે, સાથેની વાતચીતમાં કેટલીક વિગતો જાણવા મળી : શ્રી જયંતિભાઈ નાની ઉંમરમાં હતા ત્યારે અહીં આશરે ૭૦ વર્ષ પહેલાં કુલ પાંચ જિનાલયો હતો. આજે જયાં પાઠશાળા છે ત્યાં મેડા ઉપર મહાવીરસ્વામીનું જિનાલય હતું અને તે જિનાલય ક્યાં ગયું તેની તેમને ખબર નથી. હાલ પાઠશાળાનું મકાન ખાલી છે. વળી એક ચોથું જિનાલય હતું તેમાં તો નાનપણમાં પૂજા પણ કરી છે. તેના મૂળનાયક કયા હતા તે તેઓને યાદ ન હતું. તેઓને જિનાલયના સ્થાન વિશે પૂછ્યું તો તેઓના કુંથુનાથજીના જિનાલયની બાજુમાં ઘરની પછવાડે એક જિનાલય હતું. તેના આજે પણ એ જગ્યા પર અવશેષ જોવા મળે છે. અમે જિનાલયની મુલાકાત દરમ્યાન જિનાલયની બાજુની એ ખંડેર જગ્યા જોઈ હતી. તેમાં પબાસન, સિહાસન જેવા અવશેષો પણ જોયા હતા. એ જગ્યા પર કોઈ કાળે જિનાલય હતું તેનો એ પુરાવો છે. આ ઉપરાંત આદેશ્વરજીના જિનાલયની પાછળના ભાગમાં (આદેશ્વરના જિનાલયના કંપાઉંડમાં જયાં માણીભદ્ર વીરની દેરી તથા આદેશ્વરના પગલાંવાળી દેરી છે તેની બરોબર પાછળ) અમે અન્ય એક ખંડેર જગ્યા જોઈ હતી જ્યાં ગોખ, ટોડલા, ગર્ભદ્વાર પાસેના જમીન પરની કોતરણી જેવા અવશેષો જોયા હતા. આમ જોતાં સં. ૧૯૦૦માં માંડવીની પોળનાં પાંચ જિનાલયમાંથી આજે બે જિનાલય લુપ્ત થયેલ માલૂમ પડે છે અને સં૧૯૪૭માં તથા સં. ૧૯૬૩માં નેમિનાથજીનું જિનાલય ઉમેરાયેલું માલૂમ પડે છે. આ નેમનાથના જિનાલય વિશે પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે તે જિનાલય આદેશ્વરના જિનાલયની બિલકુલ બાજુમાં હતું. અને આજે હવે તે આદેશ્વરના જિનાલયમાં જમણી બાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન છે. કુંથુનાથજીના જિનાલયની બાજુમાં તથા આદેશ્વરના જિનાલયની બાજુમાં જે ખંડેર જગ્યાઓ છે ત્યાં ઉપરોક્ત બે જિનાલયો વિદ્યમાન હોવાનો સંભવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy