SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ખંભાતનાં જિનાલયો પોપટભાઈ અમરચંદનો ફૂલ સાઇઝનો ફોટો જમણી બાજુ પર છે. ચિંતામણિ પાર્શ્વનાથની ડાબી બાજુની દેવકુલિકામાં શ્રી શાંતિનાથ ભગવાનની પાષાણની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. તેની આજુબાજુ બે શ્યામવર્ણી પાષાણની પ્રતિમા બિરાજમાન છે. આમ અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે. ચિંતામણિ પાર્શ્વનાથની જમણી બાજુની દેવકુલિકામાં પણ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પાષાણની પ્રતિમાજી સાથે આજુબાજુમાં બે પાષાણની પ્રતિમાજીઓ મળીને પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે. આ બંને દેવકુલિકાઓ સરખું કદ ધરાવે છે. આ બંને દેવકુલિકા પાસેથી જ ભમતમાં જવાનો રસ્તો છે. પાંચ પગથિયાં ઊતરીને ચાલતાં ભમતીમાં પ્રવેશી શકાય છે. અહીં ભમતીમાં પાષાણની કુલ એકસઠ પ્રતિમાજીઓ બિરાજમાન છે. પ્રવેશતાં પ્રથમ સં૧૬૫૭નો મૂર્તિલેખ ધરાવતાં પ્રતિમાજી બિરાજે છે. અહીં દરેક ભગવાનના ગોખ ઉપર જ શિખરની રચના કરેલ છે. અહીં પણ મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથજી છે. આ મૂળનાયકની પ્રતિમાની નીચે આરસનો માતૃકા પટ ભીંતે જડેલ છે. ફર્શમાં સફેદ તથા લીલા રંગના આરસનો ઉપયોગ થયેલો છે. કુદરતી પ્રકાશ આવે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભોમતીમાંથી ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના શિખરના દર્શન થઈ શકે છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં રંગમંડપમાં પ્રવેશવા માટેના પ્રવેશદ્વારની બંને બાજુએ ઉપરના માળ પર ચડવા માટેના બે પ્રવેશદ્વાર છે. ત્રીજા મજલે ત્રણ ગભારા અને બે દેવકુલિકાઓ આવેલ છે. આ બંને દેવકુલિકાઓની રચના પણ એવી રીતે કરવામાં આવેલી છે કે ઉપર ચડતાં જ તે તે દેવકુલિકામાં પ્રવેશવા માટેના દ્વાર નજરે ચડે એટલે પ્રથમ એ દેવકુલિકામાં દર્શન કરવા માટે મન મોહિત થાય. ત્રીજે મજલે મૂળનાયક તરીકે શ્રી મલ્લિનાથજી બિરાજમાન છે. તેમની ડાબી બાજુ સુમતિનાથ અને જમણી બાજુ સહસ્રફણા પાર્શ્વનાથના ગભારા આવેલા છે. ઉપરાંત બે દેવકુલિકાઓમાં ડાબી બાજુ શ્રી વાસુપૂજયસ્વામી તથા જમણી બાજુ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનો ગભારો છે. શ્રી વાસુપૂજયના ગભારામાં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. ગભારામાં એક ગોખ છે. રંગમંડપ લાંબો છે. રંગમંડપમાં પ્રવેશતાં સામે જ કાચવાળી બારીઓ છે. અહીં મુખ્ય બે પ્રવેશદ્વાર અને એક ગર્ભદ્વાર છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથના ગભારામાં પણ પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે. આ બંને દેવકુલિકાઓ એકસરખી રચના અને કદ ધરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy