SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ખંભાતનાં જિનાલયો જીરાળા પાડો અમીઝરા પાર્શ્વનાથ (સં. ૧૭૦૧ પહેલાં) જીરાળાપાડામાં ચિંતામણિ પાર્થનાથના જિનાલયની સામેની બાજુ શ્યામરંગી અમીઝરા પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં જીરાળાપાડામાં ચંદ્રપ્રભુના જિનાલય સાથે ભોંયરામાં અમીઝરા પાર્શ્વનાથનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુ અઢાર એ મુંબઈ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ. સં. ૧૯૦૦માં જીરાળાપાડામાં અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી અમીઝરા પાર્શ્વનાથના દેહરાનો ઉલ્લેખ ક્રમાંક ૨૬માં નીચે મુજબ થયેલો છે. અથ શ્રી જિરાલે પાડઈ દેહરા ૧૧, તેહ ની વિગત - ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરું. ૨૫. શ્રી શાંતિનાથનું દેહરું, ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેહરું. એટલે કે સં. ૧૯૦૦ માં શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દહેરું સ્વતંત્ર દર્શાવવામાં આવ્યું છે. ચંદ્રપ્રભુનું દહેરું પણ અલગ દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૭૦૧ થી સં. ૧૯૦૦ દરમ્યાન સંભવ છે કે અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય નવું બાંધવામાં આવ્યું હોય અને ચંદ્રપ્રભુના જિનાલયના ભોંયરામાં બિરાજમાન અમીઝરા પાર્શ્વનાથજી નવા જિનાલયમાં પધારવામાં આવ્યા હોય. સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્રગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં અમીઝરા પાર્શ્વનાથ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૪માં થયેલો છે તે સમયે પણ ચંદ્રપ્રભુજીનું જિનાલય અલગ દર્શાવવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy