SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૬મા સૈકામાં ખંભાતમાં ૩૭ જિનાલયો, સં. ૧૬૭૩માં ૭૮ જિનાલયો, સં.૧૭૮૧માં ૮૩ જિનાલયો, સં. ૧૯૦૦ના સમયગાળામાં ખંભાતમાં ૮૫ જિનાલયો, સં. ૧૯૪૭માં ૮૧ જિનાલયો, સં. ૧૯૬૩માં ૭૬ જિનાલયો, સં. ૧૯૮૪ના સમયગાળામાં અહીં પ૬ જિનાલયો, સં. ૨૦૧૦માં ૬૭ જિનાલયો અને વર્તમાન સમયમાં ખંભાતમાં ૬૮ જિનાલયો વિદ્યમાન છે, જે પૈકી ૧૦ ઘરદેરાસરો છે. સંપત્તિ પામ્યા બાદ માત્ર ભોગોપભોગમાં તેનો વ્યય કરવાને બદલે આ વણિકોના જીવનમાં “અહિંસા પરમો ધર્મ' સૂચવતો જૈનધર્મ કેન્દ્રસ્થાને રહ્યો છે. ધર્મના પ્રભાવે તેઓ જીવદયા પ્રતિપાલક' બન્યા. મુનિઓ પોતાના સાધુ આચારો સારી રીતે પાળી શકે તેવી પૌષધશાળાઓ તેઓએ બંધાવી જેથી તેઓના વ્યાખ્યાનનો લાભ સદા લઈ શકાય અને ધર્મવિમુખ ન બનાય. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ જેવી ધર્મક્રિયાઓમાં તેઓ સદા રમમાણ રહેતા. ખંભાતના જ વતની કવિ શ્રી ઋષભદાસે સં૧૯૮૫માં પોતાની કૃતિઓમાં ખંભાતનું જે વર્ણન કર્યું છે તેમાં એના ભૂતકાલીન વૈભવની ઝાંખી થાય છે. તેઓ લખે છે કે ખંભાતમાં મેં આ રાસ રચ્યો. બધાં જ નગર-નગરીઓમાં ખંભાત મુખ્ય છે. સકલ દેશના શણગારરૂપ ગુર્જર દેશ છે. તેમાં પંડિતો ઘણા છે. પણ ખંભાતના પંડિતો આગળ તે બધા હારી જાય. એ નગરમાં વિવેક, વિચાર અપાર છે તથા અઢારે વર્ણના લોકો વસે છે. જ્યાં બધા વર્ણના લોકો ઓળખાય છે અને સૌ સાધુપુરુષોનાં ચરણ પૂજે છે. અહીં ધનવાન લોક વસે છે. ગુણવંત પુરુષો પટોળાં તથા ત્રણ આંગળ પહોળા સોનાના કંદોરા પહેરે છે. વળી રેશમના કંદોરા તળે સોનાનાં માદળિયાં મઢેલાં છે. રૂપાના ઝૂડામાં કૂંચીઓ રાખે છે તથા ગળામાં સોનાની સાંકળી પહેરે છે. મોટા વણિકો દાનવીર છે. સાલુ પાઘડી બાંધે છે, એ પાંત્રીસ ગજ લાંબી પાઘડી તેઓ પોતાને હાથે માથે બાંધે છે. એ વેળાએ વખણાતાં ઝીણાં વસ્ત્રો પહેરે છે. કોઈ વળી માથે ચાર રૂપિયાનું ફાળિયું બાંધે છે અને સાઠ રૂપિયાની પછેડી-પામરી નાખે છે. વળી રેશમી કભાયઅંગરખું પહેરે છે જે સો રૂપિયામાં મળતું. હાથમાં બેરખા અને વીંટીઓ પહેરતા ત્યારે એમ લાગે કે તેઓ સ્વર્ગથી આવ્યા છે. વણિકો બાંધેલાં પશુ-પંખીઓને છોડાવે છે. પશુઓ અને માણસોની પીડા દૂર કરે છે, માંદા માણસોને સાજા કરે છે. બકરા-પાડાની પણ સંભાળ લે એવા જીવદયાપ્રતિપાલક શ્રાવકો છે. ખંભાતમાં ૮૫ જિનપ્રાસાદો છે, જે હંમેશા ધ્વજ-તોરણોથી શોભે છે ને જયાં ઘંટનાદ થાય છે. ૪૫ પોષધશાળાઓ છે જ્યાં વ્યાખ્યાનકર્તા મુનિઓ વ્યાખ્યાન આપે છે. શ્રાવકો નિયમિત પ્રતિક્રમણ, પોષધ, પૂજા કરીને પુણ્ય કમાતા કમાતાં દિવસો વિતાવે છે. અહીં વ્યાખ્યાનમાં પ્રભાવના થાય છે ને મોટે ભાગે સાતમીવચ્છલ થતાં હોય છે. અહીં ઉપાશ્રય, જિનાલય ને દુકાન નજીક નજીક છે. અહીં અંડિલ ભૂમિ, ગોચરી વગેરે સુલભ હોવાથી પ્રાયઃ મુનિઓ અહીં સ્થિરતા કરે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy