SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૯૧ જિનાલયમાં પ્રવેશવા માટે મુખ્ય બે પ્રવેશદ્વાર છે. જાળીવાળા પ્રવેશદ્વારની કમાન ઉપર સરસ્વતીદેવીની મૂર્તિનું શિલ્પ છે. ગભારા તથા રંગમંડપમાં આરસયુક્ત કારીગરી તથા બહારના ભાગમાં કાષ્ઠની સુંદર કારીગરી દૃશ્યમાન થાય છે. થાંભલાઓ પર પૂતળીઓનાં શિલ્પો સુંદર છે. રંગમંડપ નાનો છતાં સુંદર છે. રંગમંડપના ઘુમ્મટમાં વાજિંત્રો વગાડતી નર્તકીઓની મૂર્તિઓનાં શિલ્પો દશ્યમાન થાય છે. થાંભલાઓ પર હાથીમુખી કમાનો છે. હાલ રંગમંડપમાં મૂળનાયકની જમણી બાજુ પ્રવેશદ્વાર પાસે એક ટાંકું છે. તથા તેની પાસેની દીવાલ પર સં. ૨૦૦૭માં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા થયા અંગેની માહિતી દર્શાવતો લેખ આરસમાં કોતરી કાચની ફ્રેમમાં મઢેલો છે. લેખ આ ગ્રંથમાં પાછળ પ્રકરણ-૧૩માં દર્શાવ્યો છે. જેમાં જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા શ્રી વિજયનેમિસૂરિના પટ્ટાલંકાર શ્રી વિજય વિજ્ઞાનસૂરિ, તેમના પટ્ટધર વિજયકસૂરસૂરિ, પંન્યાસ યશોભદ્રવિજય ગણિ, પં. પ્રિયંકરવિજયગણિ આદિના હસ્તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ગર્ભદ્વાર પાસે રંગમંડપમાં સામ-સામી બાજુએ ગોખનાં યક્ષેન્દ્ર તથા ધારિણી યક્ષિણીની પાષાણની મૂર્તિઓ વિદ્યમાન છે. ગભારામાં ભીંત પર સુંદર ચિત્રકામ થયેલું છે. ગભારામાં મૂળનાયકની જમણી બાજુએ આદેશ્વરજી અને ચંદ્રપ્રભુજીની પાષાણની નાની પ્રતિમાજીઓ પર નાના ઘુમ્મટની રચના કરેલ છે. ડાબા ગભારે સુવિધિનાથ અને જમણા ગભારે અજિતનાથ બિરાજમાન છે. અહીં પાષાણની સાત પ્રતિમાજીઓ છે. જિનાલયમાં રંગમંડપમાં પાણીના ટાંકા પાસેની દીવાલની નીચે એક ભોંયરું છે પણ બંધ છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૮૧૭ પહેલાના સમયનું છે. જીરાળા પાડો મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૯૩) જીરાળા પાડામાં આવેલા અરનાથના જિનાલયની સામેની બાજુએ એક ઘર છોડીને ખૂણામાં મનમોહન પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. ' (૧) મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે : - “સં. ૧૯૬૩ વર્ષે ચૈવ૧૦ રવૌ સ્તંભતીર્થ... શ્રાવિકા હીરા !.. તપુત્ર...ભાર્યા હીરા... સ કુટું બયુએન સ્વશ્રેયાર્થે..શ્રી પાર્શ્વનાથ બિંબ કારાપિતઃ | પૂજય શ્રી વિશાલસોમસૂરિનામુપુર્દશત... શ્રી વિમલસોમસૂરિ તત્વાલંકાર શિરસોમસૂરિભિઃ શ્રી ૨..” સં. ૧૭૮૧ની મહિસાગર કૃત ખંભાઈતિ તીર્થમાલામાં જીરાઉલા પાટિકમાં આવેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy