SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ દલાલનો ખાંચો - બહુચરાજીની પોળ પાર્શ્વનાથજી - ઘરદેરાસર (સં૰ ૧૯૮૯) ખંભાતમાં બહુચરાજીની પોળ શેરડીવાળાની પોળની સામે આવેલી છે. આ પોળમાં સીધાં જતાં જમણીબાજુ ગલીમાં—ખૂણામાં શ્રી પાર્શ્વનાથજીનું દલાલ પરિવારનું ગૃહમંદિર આવેલું છે. આ ગૃહમંદિરનો ઉલ્લેખ સં૰ ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં સ્ટેશન રોડ પર આવેલા દલાલ વીલામાં થયેલો છે. તે સમયે મૂળનાયક તરીકે પાર્શ્વનાથજી ભગવાનનો ઉલ્લેખ થયેલો છે તે સમયે પણ બે ધાતુના પ્રતિમાજીઓ બિરાજમાન હતા. બંધાવનારનું નામ તથા સંવત શેઠ મૂળચંદ ડાહ્યાભાઈ સંવત ૧૯૮૯ એ મુજબનો થયેલો છે અને જિનાલય બીજે માળ હતું. તે સમયે મૂળનાયક પર લેખનો સંવત ૧૯૮૯ દર્શાવેલો છે પરંતુ મૂર્તિલેખ સં૰ ૧૬૪૩નો છે. આ જિનાલયનો જીર્ણોદ્ધાર સં૦ ૨૦૫૦માં થયેલ છે. જિનાલય પહેલા માળે આવેલ છે. જિનાલયની જગ્યા મોટી છે. ઉપર જતાં બહાર આરસની તકતી પર આજે ‘ચીમનલાલ ડી. દલાલ સ્થાપના સંવત ૨૦૦૦ જીર્ણોદ્ધાર સં- ૨૦૫૦' એ મુજબનું લખાણ વંચાય છે. - ખંભાતનાં જિનાલયો જિનાલયમાં પ્રવેશતાં ડાબી બાજુ આરસના સિંહાસન અને આરસના પરિકરમાં શ્રી પાર્શ્વનાથજીની પંચતીર્થી ધાતુપ્રતિમાના દર્શન થાય છે. આરસની કોતરણીયુક્ત પાળીવાળી રચના તથા પરિકર કલાત્મક છે. આજે પણ આ જિનાલયમાં ધાતુના બે પ્રતિમાજી બિરાજમાન છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની ધાતુ પ્રતિમાના મૂર્તિલેખમાં નીચે મુજબનું લખાણ વંચાય છે ઃ ‘‘સં૦ ૧૬૪૩ વર્ષે ફાગણ સુદી પાંચમ ગુરુ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય પ્રાગ્ધાટ જ્ઞાતિય વૃદ્ધ શાખાય વો૰ સ ગર સૂત વો. અમી પાલ ભાર્યા બાઈ વીરાદે સૂત વો. જસવંત ભાર્યા જાસલ દે સૂત વો નાનજી કાહાનજી શ્રી આગમ ગચ્છે શ્રી સંયમરત્નસૂરિ તત્પદ્યે ફૂલવર્ધનસૂરીણાં મુપુર્દશેન શ્રી પાર્શ્વનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત ।” મૂળનાયકની ડાબી બાજુ શ્રી શાંતિનાથજીની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. તેના પર નીચે મુજબનો લેખ છે : Jain Education International સંવત ૧૪૦૮ વર્ષે વૈશાખ વદિ ૫ ગુરૌ પલ્લિવાલ જ્ઞાતિય પિતૃ શ્રેષ્ઠી શ્વેતા શ્રેયાર્થ ભાઈ આલ્હા પુણ્યાર્થ સૂત સામતેન શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ચૈત્ર ગચ્છે શ્રી પયદેવસૂરિ પટ્ટ શ્રીમાન દેવસૂરિભિઃ ટ્રસ્ટી પરિવારના સભ્ય પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટેશન રોડ પર આવેલા દલાલવીલાના વિસ્તારમાં કોમી-૨મખાણો થવા માંડ્યાં. તે સંજોગોમાં જિનાલય બહુચરાજીની પોળમાં લાવવામાં આવ્યું. તે સમયે મકાન જીર્ણ હાલતમાં હોવાથી નવેસરથી પાયો કરાવી અહીં પ્રતિમાજી પધરાવવામાં આવ્યા. ટૂંકમાં આ ઘરદેરાસર સં૦ ૧૯૮૯ના સમયનું હોવાનું માની શકાય. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy