SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ભોંયરાપાડો ૬૪.નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથ. ૬૮. નેમનાથજીનું. ૬૯. શાંતિનાથજીનું. (આ નંબર ૬૮-૬૯ વાળા દેહેરાં ભેગા છે.) સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથ-નેમિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ અલગ અલગ કરવામાં આવ્યો છે. તે સમયે શાંતિનાથનાં બે જિનાલયોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જે પૈકી એક જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તથા તે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. ઉપરાંત પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો હતો. જ્યારે બીજા જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી. નેમિનાથજીના જિનાલયને સમયે શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું હતું અને તે સમયે નેમિનાથજીના જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમા હોવાનો ઉલ્લેખ હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી. ૧૩૧ સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં શાંતિનાથ-નેમિનાથનું સંયુક્ત જિનાલય ભોંયરાપાડા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે શાંતિનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને નેમિનાથજીના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ શકરાભાઈ હકમચંદ હસ્તક હતો. તેઓ તે સમયે જિનાલયની સામેની દાદાસાહેબની પોળમાં રહેતા હતા. તે પૂર્વે (એટલે કે સં૰ ૧૯૮૪ પૂર્વે) આ જિનાલયનો વહીવટ વોરા કુટુંબ હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ માત્ર શાંતિનાથજીના જિનાલય તરીકે જ થયો છે. તેમાં નેમિનાથજીનો ઉલ્લેખ થયો નથી. તે સમયે જિનાલયની બાંધણી ધાબાબંધી દર્શાવવામાં આવી હતી અને તેમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તેનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો અને તેના મકાનની સ્થિતિ સારી હતી. વળી તે સમયે અહીં એક સ્ફટિકના પ્રતિમાજી છે તેવી વિશેષ નોંધ પણ કરવામાં આવી હતી. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે. લગભગ આઠ વર્ષ પહેલાં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. જિનાલય ઊંચા ઓટલાવાળું છે. રંગમંડપમાં પ્રવેશવા માટેના બે પ્રવેશદ્વાર છે. ડાબી બાજુનું પ્રવેશદ્વાર ડાબી બાજુના ગભારામાં બિરાજમાન નેમિનાથજીની સન્મુખ પડે છે અને જમણી બાજુનું પ્રવેશદ્વાર જમણી બાજુના ગભારામાં બિરાજમાન શાંતિનાથના ગભારા સામે પડે છે. આ જિનાલયમાં બંને ગભારા કે રંગમંડપને જુદી પાડતી કોઈ દીવાલ નથી. રંગમંડપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy