SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૯૩ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં સંભવનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુંઈરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી પ સં. ૧૯૦૦માં બોરપીપળા વિસ્તારમાં આવેલા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૭માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્તિ છઈ ૫૫. શ્રી યરામાં ગોડી પાર્શ્વનાથ પ૬. શ્રી મુનિસુવ્રત સ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેહશું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતનાં જિનાલયો પૈકી બોરપીપળા વિસ્તારમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૫માં થયેલો છે, જે નીચે મુજબ છે : બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૫. સંભવનાથજીનું ૧૬. મુનીસુવ્રતસ્વામીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળામાં આવેલા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલય જીર્ણ અવસ્થામાં દર્શાવવામાં આવ્યું હતું. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં બોરપીપળા વિસ્તારમાં આવેલા સંભવનાથજીના જિનાલયમાં પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ ચુનીલાલ ખીમચંદ હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં બોરપીપળામાં આવેલા સંભવનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. એટલે કે સં. ૧૯૬૩ થી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy