SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાલવી કેરી પોલિ જ પાસ, દેહરામાં નવપલ્લવ પાસ, બંબ પંચ્યોતિર તાસ, હોય // ૧૯ એટલે કે ૧૬મા સૈકાનું પાર્શ્વનાથનું જિનાલય સં૧૯૭૩માં નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલય તરીકે પ્રચલિત થયું હતું. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં સાલવીની પોળમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુઇરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી || ૫ શીલવિજયજી રચિત તીર્થમાલામાં (સં. ૧૭૨૧ થી સં. ૧૭૩૮) નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે : થંભણ પ્રણમું જીરાઉલો, નારંગો ભીડભંજન શામળો, નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. સં. ૧૯૦૦માં બોરપીપળા વિસ્તારમાં થયેલા ચાર જિનાલયોના ઉલ્લેખ પૈકી નવપલ્લવ પાર્શ્વનાથનો ઉલ્લેખ ક્રમાંક ૫૪માં અને ભોંયરામાં ગોડી પાર્શ્વનાથનો ઉલ્લેખ ક્રમાંક ૫૫માં નીચે મુજબ આવે છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂર્તિ છે. ૫૫. શ્રી ભંયરામાં ગોડી પાર્શ્વનાથ. પ૬. શ્રી મુનિસુવ્રત સ્વામી. ૫૭. શ્રીસંભવનાથનું દેહશું. સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં બોરપીપળા વિસ્તારમાં નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૨માં થયેલો છે. બોરપીપળાના મહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું ૧૮. સંભવનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવપલ્લવ પાર્શ્વનાથનું જિનાલય સંઘવીની પોળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy