SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો સંભવનાથ જિન પ્રતિમા વીસ, મૂનિસુવ્રતનઈ નામુ સીસ, ભૂંરિ થંબ બાવીસ, હો || ૨૧ સં ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં સાલવી પોલમાં (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રતસ્વામી (૩) નવપલ્લવ પાર્શ્વનાથ- એમ ત્રણ જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. જેનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : સાલવી પોલિ સંભવનાયક બઈતાલીસ જિનપુંગવજી ભુંઇરઈ વલી સુવ્રત એકાવન પંચસયા નવપલ્લવજી || ૫ સં. ૧૭૦૧માં સૌ પ્રથમ વા૨ બોરપીપળા નામના વિસ્તારનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ તે વિસ્તારમાં, આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન (૧) સંભવનાથ (ભોંયરાવાળુ) અને (૨) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ— એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે આજે વાઘમાસીની ખડકીનો વિસ્તાર તે સમયે બોરપીપળાના નામે જાણીતો થયો હતો. આજે બોરપીપળાના નામે જાણીતો વિસ્તાર તે સમયે સાલવીવાડ કે સાલવીની પોળ તરીકે ઓળખાતો હતો. સં. ૧૯૦૦માં બોરપીપળા નામના વિસ્તારમાં કુલ ચા૨ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે : અથ બોરપીપલે દેહરાં ૪ ૫૪. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તથા પદ્માવતીની મૂતિ છઈ ૫૫. શ્રી ભુંયરામાં ગોડી પાર્શ્વનાથ ૫૬. શ્રી મુનિસુવ્રતસ્વામી ૫૭. શ્રી સંભવનાથનું દેરું. જયતિહુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં (સં. ૧૯૪૭માં) બોરપીપળા વિસ્તારમાં નીચે મુજબના જિનાલયનો ઉલ્લેખ થયો હતો : બોરપીપળાના મેહેલ્લામાં ૧૨. નવપલ્લવ પારસનાથજીનું. ૧૩. વીમલનાથજીનું (ભુંઈરામાં ગોડી પારસનાથજી). ૧૪. સોમચીંતામણજીનું. Jain Education International ૮૭ ૧૫. સંભવનાથજીનું. ૧૬. મુનિસુવ્રતસ્વામીનું. ૧૭. વજેચિંતામણી પારસનાથજીનું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy