SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન કર્યું. ( ૬ ) ઉત્તર–આ માટે પંડિત લાલન કહે છે કે, માત્ર આપણ ભારને લીધે અને ઉંચી ગતિને લઈને થાક ચડે છે. હંમેશાં સીધા ચાલવાની ટેવ પડી હોય છે, તેથી ઉચે ચડવાની મહેનતને લઈને થાક ચડે છે. ભારે વસ્તુને નીચે જવાને સ્વભાવ છે, તેને ઉંચે લઈ જવામાં વધારે મહેનત કરવી પડે, તેથી થાક લાગે છે. તેનું દષ્ટાંત તપાસીયે-સાઈકલ ઘણી ચાલે તે તેના પાટા-૨મ્બર ટાયર ઢીલા પડી જાય છે, એજીને પણ ધીરા પડી જાય છે, સારંગીની તાંત કે તબલાને બંધ ઢીલે પડી જાય છે ને બદા વાગે છે, અને ફરી સુધારતાં તે પોતાની મુળ કિયા કરવાને યોગ્ય પંકિતમાં મુકાય છે; તેમજ અતિશય ચાલવાના ઘસારાથી નાડીએ ઢીલી પડી જાય છે; અને પછી તેલાદિ ચોળવાથી, આહાર લેવાથી કે ઉંઘવાથી પાછું શરીર ટટ્ટાર થઈ જાય છે. માટે આ પ્રસંગે ગુરૂત્વાકર્ષણને પ્રસંગ દેખાડો તે સર્વથા અયુતજ છે. એટલે પૃથ્વીમાં ગુરૂત્વાકર્ષણ નથી, જેથી પૃથ્વી ફરતી માનવામાં ઘણું દેઆવે છે, તે પૃથ્વી ફરતી માનવી તે અસત્ય છે. પ્રશ્ન–ગુરુત્વાકર્ષણ અને વાતાવરણનું પૃથ્વી સાથે પરિવર્તન માનીયે તે પણ પૃથ્વીને ફરતી માનવામાં શું શું દત્પત્તિ આવે છે તે જણાવી શકશે ? ઉત્તર–કેટલાક દો નીચે પ્રમાણેના છે. ૧ વરસાદ વરસતે હોય, ત્યારે પૃથ્વી ફરતી માનીયે તે વરસાદ એક સીધી લીટીમાં સરખી રાતે વરસ જોઈએ, પણ તેમ બનતું નથી. વરસાદ ગમે તે દિશામાં અને ગમે તે આડી અવળી ભૂમિમાં ઓછા વધતા પ્રમાણમાં પડે છે. ૨ ગંભીર કહે છે કે પશ્ચિમથી પૂર્વ ભણી, ફરતી પૃથ્વી હોય; પંખી નિજ માલા પ્રત્યે, આવી શકે ન કેય. / ૧ / એટલે પંજાબી મેલની સાથે પણ ચાલવ ને અસમર્થ એવા પક્ષી, તીડ, મછર, માખી વગેરે એક મિનિટમાં સત્તર માઈલની ગતિવાળી પૃથ્વી સાથે કેમ ચાલી શકે ? અને પક્ષીઓ ઉત્તર કે દક્ષિણમાં તથા પૃથ્વીના વેગથી ઉલટી દિશા–પશ્ચિમ દિશામાં રહેલ પિતાના માળાને કેમ શેધી શકે? પૃથ્વી ફરતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy