SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન પંદરમું. - જે ક્ષેત્રમાં ખેતી, યુદ્ધ, અને વ્યાપાદિ ક્રિયા થાય છે તે ક્ષેત્ર કમભૂામ એવા નામથી ઓળખાય છે. કર્મભૂમિના ક્ષેત્રમાં ચડતી-પડતીના પ્રસંગ બન્યા કરે છે. આ આપણે ભરતખંડ કર્મભૂમિનું ક્ષેત્ર છે. હવે તેની ઉત્પત્તિ-નષ્ટપ્રાયમાંથી ઉદય કયારે થયે? તે આપણને જાણવાનું બાકી છે. * યુદી અને વદીની જેમ ઉત્સર્પિણું ( અવળી સપકૃતિની પિઠે ચડતે કાળ ) અવસર્પિણ ( સવળી સર્પાકૃતિની પેઠે ઉતરતો કાળ ) એ સર્પિણીનાં નામ આપ્યાં છે, તે ઉપરથી આપણે કાંઈ જાણું શકીશું. ઉત્સર્પિણ કાળમાં આરંભમાં સુદી એકમના ચંદ્રની પેઠે મનુષ્ય પશુ પક્ષી વિગેરે બીજ માત્ર ઘણું જ થોડા પ્રમાણમાં હોય છે. મનુષ્યો ગુફાવાસ કરી માંસાહારથી જીવનયાત્રા કરે છે, સૂર્યની ગરમી મહાન પડે છે, અગ્નિની વૃષ્ટિ થાય છે, ભૂમિ પણ ધગધગતી અં. ગારા જેવી હોય છે. તથા ઠંડીકાળે ઠંડી પણ અસહ્ય હેય છે. રાગ શેક ક્રોધાદિ તે મનુષ્યમાં વાસ કરીને રહેલાજ હોય છે, મનુષ્યનું બહુમાં બહુ મોટું શરીર બે હાથનું થાય છે, કોઈ બહુ લાંબી જીદગી ભેગવે તે ૨૦ વર્ષમાં જ તેની હદ પુરી થાય છે. આ કાળ તે જગતના પ્રલયરૂપ હોય છે. આ પ્રમાણે દુષમgષમ નામને ૨૧૦૦૦ વર્ષના આરા દુઃખમય પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી તેટલાજ વર્ષના માપવાળા દુષમ નામના આની શરૂઆત થાય છે. આ કાળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy