SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન દસમું. - (૧૦૭) અર્થ દેવામાં પ્રથમ વિશ્વના કરનાર અને જગતનું રક્ષણ કરનાર બ્રહ્માજી ઉત્પન્ન થયા. यथोर्णनाभिः सृजते गृह्णते च, यथा पृथिव्यामौषधयः संभवन्ति । यथा सतः पुरुषात् केशलोमानि । तथाक्षरात्संभवतीह विश्वम् ॥ ७॥ અર્થ-જેમ કરેળીયો જાળ પાથરી જાળને ગળી જાય છે, જેમાં પૃથ્વીમાં વનસ્પતિ થાય છે, જેમ શરીરે વાળ-રૂવાટા ઉગે છે, તેવી જ રીતે ઇશ્વરથી સર્વ સૃષ્ટિ ઉપજે છે. [ ર૭ ] મુંડકોપનિષદના મુંડક-૨, ખંડ ૧ માં કહ્યું જેમ અગ્નિમાંથી અગ્નિક છુટે છે, તેમ અક્ષરથી પણ વિવિધ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે. ૧ અક્ષરથી પ્રાણ, મન, પાંચ ઇંદ્રિય, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી ઉત્પન્ન થાય છે. ૩ આ વિરાટ રૂપને અગ્નિરૂપ મસ્તક છે. ચંદ્ર-સૂયરૂપ ને છે, દિશારૂપી કાને છે, વેદ રૂપી વાણી છે, વાયુરૂપ પ્રાણુ છે, વિશ્વરૂપી હદય છે, અને પૃથ્વીરૂપ પગે છે. ૪. તે અક્ષરથી સૂર્યરૂપી સમિધવાળે અગ્નિ ઉત્પન્ન થાય છે. તેથી ઉત્તરોત્તરપણે ચંદ્ર, મેઘ, ઓષધી, અન્ન અને વીર્ય ઉત્પન્ન થાય છે; જે સ્ત્રીમાં સ્થાપવાથી પ્રજા થાય છે. ૫. તે અક્ષરથી સામવેદ યજુર્વેદ વિગેરે ઉત્પન્ન થાય છે ૬. દેવ, વિગેરે ઉત્પન્ન થાય છે-૭. સમુદ્ર પર્વત ઉત્પન્ન થાય છે–૯ ટુંકામાં કહીએ તે પુરુષ હું વિશ્વ આ બધુંય પુરૂષમય છે ૧૦. [ ૨૮ ] માંડુપનિષદમાં કહ્યું છે કે—કાર એ મૂળ છે, દૃષ્ટિપથમાં આવતે બધો વિસ્તાર તેમજ છે, ત્રણે કાળના કે ત્રણ કાળ બહાસ્ના દરેક પદાર્થ કારમયજ છે ૧ તે મૂળ પુરૂષને ચાર પાદ છે, જેનાં નામો અનુક્રમે ૧-જાગૃત સ્થાનવાળો બહિ:પ્રજ્ઞ વૈશ્વાનર, ૨–સ્વપ્નાવસ્થાવાળે - અંતઃપ્રજ્ઞ તેજસ, ૩ સુષુપ્તાવસ્થાવાળો પ્રજ્ઞાનધન આનદમય * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy