SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન નવમું ( ૧૦૩ ) હતી કે પક્ષી ઉડાડયું પણ ઉડી જ ન શકું, અને અમુક હદ સુધી પત્થરની જેમ નીચે ઉતરી પડયા પછી ઉડી શક્યું. ત્યાંથી આગળ વધતાં ફેફસાં પણ ન સંગ્રહી શકે એવી ઘટ્ટ હવા આવે છે, જ્યાં ગયેલ માણસને આપણી પાતળી હવા ન મળવાથી બહુ મુશ્કેલી પડે છે. જુઓ ઈ. સ. ૧૮૬૨માં ગ્લેશીયા ૭માઈલ ઉપર ગયેલ, તેને ત્યાં પવન વિના બેભાનીની અસર થઈ હતી. સને ૧૯૨૦ ની ફેબ્રુઆરીમાં અમેરીકાને વિમાનવીર શ્રોયેડર૩૩૧૩૩ ફુટ ઉંચે ઉડ હતું. જ્યારે તા. ૨૯-૯-૧૯૨૧માં લેફટનન્ટ જે એ મેકડો ૪૦૮૦૦ ફુટ ઉડેલ છે. તેમના મતે ટુંક મુદતમાં આકાશ પણ સુવિધા બની જશે. (પ્રવાસી ૨૨/૬) આ સ્થાનની હવા પણ ભારે છે, અહીં વાદળ સ્થિર છે. એ પ્રમાણે પવનની ઘટ્ટતા-જાડાઈ વધતાં આગળ ઘને દધિબરફ જેવું કઠણ પાણી આવે છે, તેની ઉપર ગમે તેટલે ભાર નાખીયે તે પણ તે સ્થિર રહી શકે છે. બરફના પર્વતે જેવાથી તેની વિશેષ સાબીતી થાય છે. આ નિયમ પ્રમાણે જ જગત્ શેની ઉપર છે એના ઉત્તરમાં તનવાયુ, ઘનવાયુ અને ઘનોદધિના આધારે આ જગત રહેલું છે. આ વાત બુદ્ધિગમ્ય છે, એટલું જ નહિં, પણ સર્વજ્ઞ જ્ઞાનીઓ પણ તે પ્રમાણે જોઇને કહી ગયા છે. આ વાત માટે જુદા જુદા મતભેદે જોઈએ છીએ. કારણ કે પુરાણુવાદીઓ કહે છે કે માનુષેત્તર પર્વત પછી એક છે. મેરૂથી મનુષત્તર પર્વત સુધી જેટલી પૃથ્વી છે તેટલીજ બહારની પણ પૃથ્વી છે, પૃથ્વીને આયામ-વિસ્તાર આશરે ૫૦ કોડ જન છે. તેના ચોથા ભાગે લેકા કાચલ છે. તે ઉપર રહેલા ગજે સૂઢ વડે પૃથ્વીને ધરી રાખે છે, ત્યાં બધી સેનાથી વીંટાએલા ભગવાન પણ પૃથ્વીને હાથ વડે ' - ૧ અહીં ગુરુત્વાકર્ષણનો વિરોધ દેખાય છે, કારણ કે તે પક્ષી હવાના ફેરફારને લઈને પડયું હતું, અને હવા બદલતાંજ તે ઉડવા લાગ્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy