SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨ ) વિશ્વ રચના પ્રબંધ. અધ્યાપક–તેને માટે તમને સમ્મત એવા પુરાવાથી તમને સમજાવી શકીશ. હું ગેડફે ગ્રહપ્રકરણમાં કહ્યું છે કે, ચંદ્ર સુર્ય ગ્રડો જુદા જુદા ભાગે ગમન કરતા થકા આપણુ દષ્ટિમર્યાદામાં આવે છે, અને પશ્ચિમ ભણી ગતિ કરતા જણાય છે, એ ગતિનું કારણ વિચારીએ તે બન્નેને ફરવા માટેનું અયનક્ષેત્ર ( ઉત્તરાયણ-દક્ષિણાયન) વિશાલ છે, તેથી તેની ગતિ આપણે જાણી શકીએ છીએ. તેમ તારાઓનું ગતિક્ષેત્ર ઉત્તર-દક્ષિણ ભણું ઓછું છે, તેથી તેમને સ્થિર માનવા ઠીક ન કહેવાય તારાઓમાં આંતરૂં આપણે જોઈ શકતા નથી, તેથી તેઓ-નક્ષત્ર વિગેરે કયાંક જાય છે કે નહિં તે સ્પષ્ટ સમજાતું નથી, એમ કહેરનાઓને સુર્યમાળાના મંડનગ્રંથરૂપ સૃષ્ટિ - ચનામાંથી પાઠ જેવા ભલામણ કરું છું તેમાં લખ્યું છે કેપહેલાં જે તારાઓ હૈયાત હતા તે હાલ બીલકુલ જણાતા નથી, કેટલાક અત્યારે પણ ધીરા ધીશ અણદીઠ થતા જાય છે, અને કેટલાક જન્મ લેતા જાય છે. ડે. હસલના રીસેપીકર ત્રાઉ સેકશનમાં નવા અને જુના તારાઓનો સંગ્રહ છે, તેમના ગતિમાગથી બીજા તારાઓ એક તરફ થવાથી કે ગતિમાં આડે આવવાથી તારાઓનો જન્મ કે ઘસારે થાય છે, અને તારાઓમાં સ્થાનાંતર થવાપણું હોય તેજ એ ક્રિયા સંભવે છે, જે હર્ષલના સંગ્રહના તારાઓ અને અત્યારના તારાઓની સરખાવટ કરવાથી સ્પષ્ટ સમજી શકાય છે. માટે તારાઓ ગતિ કરે છે, અને પૃથ્વી સ્થિર છે. વિદ્યાથી કેટલાક નવા વિદ્વાને તારાઓ ફરે છે એમ શધથી કબુલ કરે છે, તે તમો કહે છે એ કારણને લઈને હશે. અધ્યાપક–તારાઓની ગતિ વાસ્તવિક હોવા છતાં-કેટલાક જાણે છે છતાં થોડી મુદતથી સ્થિર થયેલ ક્રમને ત્યાગ કરી શક્તા નથી. જેથી બાળકોને હજુ પણ “ તારાઓ સ્થિર છે.” ઈત્યાદિ અસત્ય પાઠ શીખવાય છે. પણ તારાઓ ઉતાવળી કે ધીરી ધીરી ગતિથી ફર્યા જ કરે છે. જુઓ રિ, વિ, - કરવા,તારગો, કુંતિ નાદુરસિધા એટલે ચંદ્ર સુર્ય નક્ષત્ર અને તારાઓ દરેક ઉત્તરોત્તર શીવ્ર ગતિવાળા છે. " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy