SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ માતાનો ઉપદેશ, તત્વને વિચાર કરી માનવ જીવનને સફળ કરજે. પ્રિય સુતા ! કુલીન સ્ત્રીઓને કુળ લજ્જા એ કલ્પલતા છે. એ કુળ લજજારૂપ કલ્પલતાને તું આધાર મંડપ થજે, એ કલ્પલતાને સર્વદા સિંચન કરી તેના સદાચારરૂ૫ ફળને સંપાદન કરજે. મનોહર ! તને વિશેષ કહેવાની કોઈ જરૂર નથી. તું સ્ત્રી ધર્મને જાણે છે, જેને સતીઓનાં ચરિત્રો તેં સાંભળ્યાં છે, આહંત ધર્મના પવિત્ર સંસ્કાર તારામાં વાસ કરી રહ્યા છે, જેન વ્રત અને તપ તેં આચર્યો છે, સાધ્વીઓના ઉપાશ્રયનું સેવન કરેલું છે, અને મુનિઓના મુખથી સદુપદેશ સાંભળ્યા છે, તેથી પ્રિય સલા ! તને જે શિક્ષા આપવી તે પુનરૂક્તિ જેવી છે. છેવટે એટલું જ કહેવાનું કે, ક્ષત્રિઓની સ્ત્રીઓમાં જે ગુણ સ્વાભાવિક હોવા જોઈએ, તે બધા ગુણ તારામાં દેખાય છે, તેમનું સર્વદા રક્ષણ કરજે. ક્ષત્રિયાણીઓ વીરમાતા કહેવાય છે. ક્ષત્રિ ધના ધુરંધર કુમારની તેઓ ક્ષેત્ર ભૂમિ છે. વિશ્વમાં શ્રેષ્ઠ કુળની પદવી ક્ષત્રિયોને મળેલી છે. તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદે, પ્રતિવાસુદે, અને બીજા ત્રિશિલાકા પુરૂષોની જન્મદાત્રી પ્રાયે કરીને રાજપુત્રીઓ હોય છે. સતી ધર્મરૂપ કલ્પ વૃક્ષની પિષક માતા રાજપુત્રીઓ જ છે. પ્રિય સુતા તું પણ તે મહેલી એક રાજપુત્રી છું. ભવિષ્યમાં વીર્યધારિણી વીરમાતા થવાની છું. રણવીર, ધર્મવીર, અને દાનવીર પુરૂષોની પ્રગટ કરનારી તારા જેવીજ રાજપુત્રીઓ હોય છે. આ બધા વિચારનું મનન કરજે. તું કઇ સ્થિતિમાં રહેવાને યોગ્ય છું, તે તું જાણે છે. જેવી રીતે તારા પ્રખ્યાત પિતાની કીર્તિ વધે, તારી માતાને માન મળે, અને દીપશિખા નગરીનું રાજકુટુંબ, પ્રશંસા પામે, તેવી રીતે પનિગ્રહમાં વર્તજે. પ્રતાપસિંહ જેવા વીરપતિનું રાણીપદ દીપાવજે અને સર્વદા આહત ધર્મની ઉપાસનામાં તત્પર રહેજે. આટલું કહી માતા દીપવતી ગળગળી થઈ ગઈ, તેના કંઠમાંથી નીકળતે સ્વર | બદલાઈ ગયું. પુનઃ પુત્રીને બાથમાં લઈ બેલી–સુર્યવતી ! તું મારા હૃદયમાં વસનારી અને મારા પ્રાણ આધાર . તારા વિયોગનું દુઃખ મારાથી શી રીતે સહત થઈ શકશે ? આ મેહેલમાં જ્યાં તારી બેઠક હતી, જ્યાં તું સખીઓની સાથે ગીત ગાતી હતી, તે સ્થાન તારા વિના મારાથી કેમ જોઈ શકાશે ? પ્રિય બેન ! હવે સમય ઘણે થઈ ગયો છે, પ્રયાણનું મુહૂર્ત ચાલ્યું જાય છે, માટે ઉતાવળ કર. પુનઃ પાછી વહેલી આવજે. તારા પિતાની રાજધાનીને સંભારજે. આટલું કહી દીપવતીએ સૂર્યવતીને પાછી હૃદય સાથે દાબી. માતાનું હેત જોઈ, સૂર્યવતીનાં નયનમાંથી અશ્રુધારા ચાલતી હતી. પિતાને માતાને વિયેગ સહન કરવું પડશે, એથી ઘણું વસમું લાગ્યું, હદય ભરાઈ આવ્યું, અને કંઠ ગદગદિત થઈ ગયો. ચાલતી વખતે સૂર્યવતી કાંઈ પણ બેલી શકી નહીં. છેવટે ઘણો પ્રયત્ન કરી, એટલું બેલી કે, માતા ! તમારા વિયોગથી આ પુત્રીને ઘણું સહન કરવું પડશે. તમારા સહવાસમાં રહી, સૂર્યવતીએ જે સુખ પ્રાપ્ત કર્યું છે, જે લાડ ભોગવ્યાં છે, જે વૈભવ સુખ અનુભવ્યાં છે, અને જે પિતગહના પ્રીતિ રસને સ્વાદ મેળવ્યું છે, તે પુનઃ જ્યારે પ્રાપ્ત થશે ? જનની ! તમારી પ્રેમ ભરેલી દષ્ટિ બીજે ક્યાંથી મળશે ? આ જ ગતમાં દુહિતાઓને આશ્રય માતાજ છે. પુત્રી ઉપર માતાનું જે વાત્સલ્ય તે સ્વર્ગીય વાત્સલ્ય છે. વનિતાઓના જીવનને આધાર પિતગહમાં જનની જ છે. માયાળુ માતા! હવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy