SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકન્યાનું દર્શન આજે અંત આવ્યો છે. મારી ઈચ્છા એવી છે કે, કુશસ્થલીના મહારાજા પ્રતાપસિંહ આપણાથી મોટા રાજા છે, તેઓની તરફ રાજભક્તિ દર્શાવવી, એ આપણો ધર્મ છે. તેવા સમર્થ મહારાજા જ્યારે આપણે ઘેર આવે, ત્યારે આપણે તેમનું ઉત્તમ આતિથ્ય કરવું જોઈએ. મહા પ્રતાપી પ્રતાપસિંહને આપણું રાજ્ય તરફથી કોઈ પણ ભેટ ધરવી જોઈએ. તે મારી એવી ઈચ્છા છે કે, તે પ્રતાપી મહારાજાને રાજકુમારી સૂર્યવતીની ભેટ કરવી, અને એ કન્યારત્નને સર્વ રીતે તે યોગ્ય વર છે. આ પ્રમાણે રાજા દીપચંદ્ર અને તેમના મંત્રી વચ્ચે વાતચીત થયેલ હતી, તે મેં પ્રત્યક્ષ રીતે સાંભળી હતી, તેથી હું આપને આપના મનોરથ સફળ થવા માટે કહેવાને શક્તિમાન થઈ શક્યો છું. રાજ સેવકનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહના આનંદમાં વિશેષ વધારે થ, દીપશિખા નગરીનું દર્શન સંપૂર્ણ રીતે કૃતાર્થ થયું, પ્રયાણ વખતે પિતાને જે શુભ શુકન થયેલાં, તે આજે સફળ થયાં, એમ તેને નિશ્ચય થયો. આ પ્રમાણે આનંદ ઉદધિમાં તણાતા બંને રાજાઓએ સ્વારીના ઠાઠ સાથે રાજકારમાં પ્રવેશ કર્યો, અને રાજકન્યા સૂર્યવતીના સૌભાગ્ય પ્રતાપસિંહ રાજાના હૃદયકમલમાં પ્રવેશ કર્યો. મોટા સત્કારથી મહારાજાનું સન્માન કરી ક્ષાત્રકુલ દીપક દીપચંદ્ર પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો. રાજદ્વારની પાસે એક સુંદર મહેલમાં પ્રતાપસિંહને ઉતારવામાં આવ્યું, અને તેની ચતુરંગ સેના રાજ્યના વિશાળ સંખ્યાલયમાં ગોઠવી દીધી. પ્રતાપસિંહના પરિકરથી, અને રાજકીય સમૃદ્ધિથી રાજા દીપચંદ્રની રાજધાની વિશેષ શોભવા લાગી. - જ્યારે પ્રતાપસિંહની સ્વારી રાણી દીપવતીના મહેલ પાસે આવી હતી, તે વખતે સુશોભિત રાજકન્યા સૂર્યવતીની સ્થિતિ પણ પ્રતાપના જેવી જ થઈ હતી. પ્રતાપસિંહની પ્રતાપી મૂર્તિ જોઈ, એ મુગ્ધાના મનમાં મદનનો જન્મ થયો હતો, કામના વિકારોએ એ નવ યુવતિને ચોતરફથી ઘેરી લીધી હતી. પિતાની સ્થિતિ હજુ માતા પિતાને આધીન છે, પિતે પરતંત્રતાના પાસમાં પડેલી છે, તથાપિ તે રાજબાળાએ સંકલ્પ કર્યો હતો કે, આ મારા દક્ષિણ પાણીને ગ્રહણ કરનાર આ પ્રતાપી મહારાજાજ થાય. આ સુંદર શરીરનો ભક્તા ભવિષ્યમાં આ પ્રતાપ શિવાય બીજો કોઈ નથી જ. જે પૂર્વનાં કાંઈ પણ સુકૃત હાય, કાંઈ ધર્મની ઉપાસના કરી હોય, જૈન વ્રત તથા તપસ્યા જે પૂર્વે કાંઈ પણ આચર્યો હોય, તે આ પ્રતાપસિંહની સાથે આ શરીરને સંબંધ થશે. આ સંકલ્પ કરી, રાજકન્યા પ્રતાપની મનહર મૂર્તિના મેહમાં પડી હતી. પ્રતાપ રાજાના રાજ તેજથી તે મુગ્ધ રમણી આકર્ષાણી હતી, પ્રતાપના અંગના પ્રત્યેક અવયવ અવલોકી, એ રાજકન્યાની પ્રીતિરૂપ લતા વૃદ્ધિ પામી હતી, પ્રતાપના સૈાદર્ય રસનું પાન કરતી, એ ચંદ્રમુખી નિર્નિમેષ દૃષ્ટિએ તેના સામું જોઈ રહી હતી, પૂર્ણ ચંદ્ર પ્રત્યે ચકેરીની જેમ એ ચતુરાની ચિત્ત વૃત્તિ દેખાતી હતી. મહારાજા પ્રતાપસિંહ દીપશિખા નગરીની શોભા જોઈ, મનમાં આનંદ પામ્યો હત, તે પછી જ્યારે નગરીના મધ્ય ભાગમાં આવેલા શ્રી જિન ચત્યનાં દર્શન કર્યો, ત્યારે તેને વિશેષ આનંદ થયો હતો. એ વિમાન જેવા ચૈત્યમાં સ્થાપિત કરેલા શ્રી આદીશ્વર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy