SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સિદ્ધ થનારા હોય છે, છતાં તીર્થંકર મહારાજ ઘરમાં કેમ ભાવના ભાવીને સિદ્ધ થતા નથી ? (ા ભૂતકાળ, વર્તમાનકાળે કે ભવિષ્યકાળ તીર્થકરો ગૃહી કે અન્યલિંગે સિદ્ધ થતા નથી. કારણ કે જે માર્ગ તેમણે દેખાડવો છે તે માર્ગનો પોતાને અમલ કરવો છે. જો તેઓ ગૃહીલિંગ રહે તો સાધુ માર્ગનું દ્રષ્ટાંત બીજાને પુરું પાડી શકે નહિ. પર આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે ઉપસર્ગ ત્યાગાદિ કરીને પણ જો કર્મનો જ ક્ષય કરવાનો છે તો જેના આત્મામાં ઘણી શક્તિ છે એવા તીર્થકરો ગૃહવાસે રહીને પણ કર્મોનો માત્ર ભાવનાથી ક્ષય કરી દે છતાં તેઓ ચારિત્ર કેમ લે છે ? ત્યારે સમજો કે-તીર્થકરો પોતાને માટે દીક્ષા લેતા નથી, ત્યાગ કરતા નથી, જગતને માટે દીક્ષા લે છે, ત્યાગ કરે છે. હું જગતને આ માર્ગે દોરું એ પૂર્વની ઉત્કટ ભાવનાના બળે એમને ચારિત્ર લેવું જ પડે. આથી જ દરેક તીર્થકરને પાંચ કલ્યાણક નક્કી. જો તીર્થકરો ગૃહી કે અન્યલિંગે કેવળજ્ઞાનને પામે, તો દીક્ષા કલ્યાણક ક્યાં રહ્યું ? ત્યારે કહો કે જગતને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવવા માટે, જગતને કેવળજ્ઞાન-પ્રાપ્તિના પંથે પ્રવર્તાવવાને માટે ભગવંતને ચારિત્ર લેવું પડે. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એ માટે જ કહેવું પડ્યું કે િ વ્રતના વિભાગ તરીકે તીર્થપતિઓને ઉપસ્થાપનીય આદિ હોય જ નહિ. ત્યારે તીર્થકરોને વ્રતોને માટે કેમ ? શાસનની પ્રવૃત્તિ માટે ઉપસ્થાપનીયનું જિનશાસનમાં નિયમિતપણું હોવાથી તીર્થંકરો સામાયિક ઉચ્ચરે છે, તેની સાથે જ વતો હોય છે માટે જ શાસ્ત્રકાર 'વ્રતાનિ વિધિવત્૦’ કહે છે. જગતને શમસુખ આપવાને માટે પ્રવૃત્તિ છે. તેથી જ તીર્થકરો ત્યાગ કરે છે. આ રીતે ધર્મમાં પણ છે. અન્ય દર્શનીઓને ભોતિક સાધનોને સુધારનારો ધર્મ માનવાનો અને જૈનોને આત્મીય સાધનને સુધારનારો ધર્મ માનવાનો. કોઇપણ મતવાળાને પરમેશ્વર વર્તમાનમાં પ્રત્યક્ષ નથી. ક્રિશ્ચિયનોએ ઇસુને દેખ્યો નથી, બોદ્ધોએ બુદ્ધને દેખ્યો નથી, મુસ્લિમોએ મહંમદને દેખ્યો નથી, વૈષ્ણવોએ વિષ્ણુને દેખ્યો નથી. ત્યારે સમજો કે તેઓ પોતાના શાસ્ત્રને આધારે જ પોતપોતાના દેવને માને છે. આથી નક્કી થયું કે દેવને ઓળખવાની જડ જો કોઈ હોય તો તે શાસ્ત્રો. મહાવીર સર્વજ્ઞ થયા. ઇન્દ્રોએ પૂજ્ય વિગેરે આપણે દેખ્યું ? નહિ. ત્યારે એ બધું શેને આધારે માનીએ છીએ ? શાસ્ત્રને આધારે. તેવી જ રીતે આવું અને આમ આચાર પાળે તે ગુરુ કહ્યા, તે વાત માન્યા સિવાય કોઇ ગુરુમાં તે ગુરુતાનું સ્વરૂપ દેખ્યું ? તેવી જ રીતે અમે ધર્મ કર્યો, એમ કહ્યું પણ તે દેખ્યો ? નહિ. ત્યારે શાથી માન્યું ? ત્યારે કહો કે તે દરેકને માનવા કોઇ પણ આધાર હોય તો તે શાસ્ત્ર જ છે. માટે જ શાસ્ત્રકાર અહિં કહે છે કે 'માનમાયરે તેનું'. પણ ધ્યાનમાં રાખજો કે પ્રજા કરતાં જાસુસો ઘણી જ વફાદારી દેખાડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy