SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક છે. પૂજ્યપાદ સાગરજી મ.નો આપણા પર અનન્ય ઉપકાર છે આગમોને સંશોધિત કરી સરળતાથી પ્રાપ્ય બને તે રીતે શ્રી સંઘ સમક્ષ મૂકવાનું કાર્ય તેઓશ્રીએ એકલે હાથે અતિ પરિશ્રમ લઇને કર્યું છે. અદભુત કાર્ય તેઓશ્રીએ કર્યું છે. ને તેઓશ્રીની પરંપરામાં પૂજ્યપાદ સંગીતસમ્રાટ આ.ભ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. તથા પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આ.ભ.શ્રી હેમચંદ્રસાગર સૂરિજી મ.સા. પણ આ પરંપરાને જીવંત રાખવા સ્તુત્ય પ્રયાસ આ રીતે આગમ પરિચય વાચના દ્વારા કર્યો છે. મૂલસૂત્ર - ૪૫ આગમની અંગ, ઉપાંગ, આદિ સંજ્ઞાઓ પૈકી મૂલસૂત્ર સંજ્ઞા ૪ સૂત્રને આપવામાં આવી છે. ૧) દશવૈકાલિક ૨) આવશ્યક ૩) ઓશનિયુક્તિ ૪) ઉત્તરાધ્યયન. શાસનની ઉત્પત્તિ સ્થિતિ ને સંરક્ષણમાં પાયાસમ ચારિત્રને જે મજબૂત કરે છે, જે શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરે છે એવા સંયમી જીવનના આધાર સ્થંભ જેવા જે સૂત્રા છે તેને મૂલસૂત્ર કહેવાય છે. વૃક્ષનો આધાર મૂલ તેમ દીક્ષિતોને સંયમમાં ટકવા સાત્ત્વિકતા પ્રાપ્ત કરવા જ્ઞાન વૈરાગ્ય ક્રિયામાર્ગના નિર્દેશક સૂત્રો તે મૂલસૂત્રો. શ્રી આવશ્યક સૂત્ર : મૂલ ૧૩૫ શ્લોક પ્રમાણ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ,વૃત્તિઓ વગેરે સાહિત્ય ૨, ૩૭, ૧૪૩ શ્લોક પ્રમાણ ૮૪૦૦૦ શ્લોક પ્રમાણની ટીકા પૂ.આ.ભ. શ્રી હરીભદ્રસૂરિજી મ.સા. બનાવેલી જે હાલ ઉપલબ્ધ નથી પણ રર૦૦૦ શ્લોક પ્રમાણ વિશેષાવશ્યક ભાષ્ય નામે ઓળખાતો ગ્રંથ જેના ભાષ્યના કર્તા છે. પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિજી મહારાજ અને તેના પર વૃત્તિના રચયિતા છે પૂજ્યપાદ મલધારગચ્છીય આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તે સિવાય અનેકાનેક વૃત્તિઓ આ ગ્રંથ પર છે. શ્રી આવશ્યક સૂત્રનાં ૧ શ્રુતસ્કંધ છ અધ્યયન છે. પર્યાયવાચી નામો. ૧) આવશ્યક – દિવસ/રાત્રિએ અવશ્ય કરવા યોગ્ય. મૌનનું મહાફળ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy