SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ બીજીમાં - ગોવિંદ બ્રાહ્મણ...સુષેણનું વર્ણન છે. સ્થાનકવાસી મહાનિશીથને નથી માનતા. એમાં પરમાત્માની પૂજાનું વિસ્તારથી વર્ણન છે. પહેલી જળપૂજા જ કેમ ? તેનું વિસ્તારથી વર્ણન છે. પર્વતિથિએ વિશેષ વિશેષ આરાધના કરવી જોઇએ વિગેરે વાતો આમાં છે. જિતકલ્પ સૂત્ર : પાંચ પ્રકારના વ્યવહારથી આપણું શાસન ચાલે છે. ૧) આગમ ૨) શ્રત ૩) આજ્ઞા ૪) ધારણા ૫) જીતવ્યવહાર. ૧) ૧૪ પૂર્વી, ૧૦ પૂર્વી, ૯ પૂર્વી, કેવલી. તેમનો વ્યવહાર તે આગમવ્યવહાર. તેમનો કલ્પ..મર્યાદા જુદી.. ૨) શ્રત વ્યવહાર - અંગ કે તેના સિવાયનો વ્યવહાર જેના દ્વારા ચાલે છે. ૩) પ્રાયશ્ચિત લેવું હોય આપવું હોય...એમાં સંકેતો કરેલા હોય છે. આ સંકેતો ને સમજી તેના દ્વારા મહાપુરુષો ચાલે.. તે આજ્ઞા વ્યવહાર. ૪) પોતાને જે સંકેતો મળ્યા છે. જે પ્રાયશ્ચિત મળ્યા છે તે ધારી રાખવા તે ધારણા વ્યવહાર. ૫) તત્ તત્ કાલીન સમગ્ર ગીતાર્થ આચાર્યોએ જે વ્યવસ્થા નિર્દિષ્ટ કરી તેનાથી વિપરીત જોવા મળે તો પણ આચાર્ય ભગવંતનો નિર્ણય જ સ્વીકાર કરવો... ગીતાર્થો વિરોધ વગર નક્કી કરે તે આગમ કરતાં પણ મહાન છે. બૃહત્કલ્પભાષ, પંચકલ્યભાષ્ય, પિંડનિયુક્તિ, વ્યવહાર કલ્પભાષ્ય તેની ગાથાઓ પણ આમાં છે. શ્રાદ્ધજિતકલ્પ - શ્રાવકે કેવી રીતે વર્તવું ? તેનું વર્ણન છે. યતિજતકલ્પ - સાધુએ કેવી રીતે વર્તવું ? તેનું વર્ણન છે. આચાર્યની આઠ પ્રકારની સંપદાનું વર્ણન તેમાં છે. આચાર્ય રાજા તુલ્ય છે... તેનું વર્ણન છે. વિદ્યા અને મંત્ર બેમાં શું ફરક ? વિદ્યા ઉપર અધિષ્ઠાયક દેવીનું વર્ચસ્વ. મંત્ર ઉપર અધિષ્ઠાયક દેવનું વર્ચસ્વ હોય છે. પ્રાયશ્ચિતના ૧૦ પ્રકારનું વર્ણન છે. કુલ ૧૦૫ ગાથા છે. પારાંચિત્ પ્રાયશ્ચિત ભદ્રબાહુસ્વામી સુધી હતું એવો ઉલ્લેખ મળે છે. સિદ્ધસેન સૂરિએ ર૬૦૬ ગાથામાં વર્ણન કર્યું છે. વિચારોનો વિકાસ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy