SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ દેવકી ગર્ભને વહન કરે છે. હવે કંસ નિજ સેવકો દ્વારા સાતમા ગર્ભનું વિશેષ પ્રકારે રક્ષણ કરે છે અને સંપૂર્ણ માસ થયે દેવકીએ લોકોત્તર લગ્નને ધારણ કરતી શ્રાવણ વદ આઠમની રાત્રિએ શ્રીવત્સથી અંકિત અર્ધભરતના સ્વામિ અને દેવતાથી અધિષ્ઠિત એવા પુત્રને જન્મ આપ્યો ત્યારે ત્યાં કૃષ્ણના જન્મસ્થાને (ગૃહ) ચોકી કરતા કંસના સૈનિકોને અભરતની દેવીએ નિદ્રાને આપી, એટલે કે નિદ્રાવશ કર્યા. તેઓને નિદ્રામાં પડેલા જોઈને દેવકીએ વસુદેવને બોલાવીને બાળક આપ્યો. તે પણ બાળકને લઈને ગોકુલ તરફ ચાલ્યો. દેવોએ ઉદ્યોત કરતાં, દેવોએ છત્ર ધરતાં અને દેવોએ ચામર વીંઝતા પગલે પગલે કૃષ્ણના મસ્તક પર પુષ્પની વૃષ્ટિ કરતાં કૃષ્ણને ગોપુર દ્વારે લઈ જતાં કાષ્ઠ પિંજરમાં બેઠેલા ઉગ્રસેને કહ્યું કે : “હે વસુદેવ ! આ શું દેખાય છે.” વસુદેવે કહ્યું : આ દેવકીનો સાતમો ગર્ભ છે. જે મુનિએ કહ્યો હતો, વળી જે તમને લાકડાના પાંજરામાંથી છોડાવનારો છે. વિશાલ નેત્રવાળો તે આ બાલકને તમે જાણો.” ઉગ્રસેને કહ્યું : “તો જલ્દી જાઓ, વિલંબ ન કરો.” તે વસુદેવ પણ બાળકને લઈને યમુના નદીએ આવીને બાળકના પ્રભાવથી શીઘ યમુના નદી પાર કરીને ગોકુલ પ્રતિ ગયો. તે જ વખતે નંદની પતી યશોદાએ પુત્રીને જન્મ આપ્યો... પોતાના પુત્રને તેણીની આગળ મૂકીને તે પુત્રીને લઈને કાર્ય નિષ્પન્ન થયું છે, તેવો તે ઝડપથી પોતાના સ્થાનમાં પહોંચ્યો. તે બાલિકાને દેવકીની પાસે મૂકી, ત્યારે તે કંસના સૈનિકો જાગ્યા. વળી તેઓએ પૂછ્યું, દેવકીએ કોને જન્મ આપ્યો, વસુદેવે કહ્યું : “આ બાલિકા જન્મી છે.” ત્યારે તેઓ પણ તે બાલિકાને કંસની પાસે લઈ ગયા. કંસે પણ આદર વિના કહ્યું, આ બિચારી બાલિકા શું મને હણશે?” એ પ્રકારે કહીને તેને ખંડિત નાસિકાવાળી કરીને કંસે દેવકીને પાછી આપી. તે દિવસથી લઈને કંસ સ્વસ્થ (નિશ્ચિત) મનવાળો થયો. હવે તે બાળકથી તે ગોકુલ કાન્તિવાળુ થયું. પછી બારમા દિવસે નંદ યશોદાએ કૃષ્ણ (કાળો) વર્ણ હોવાથી કૃષ્ણ, એ પ્રમાણે નામ પાડ્યું... આશ્ચર્યચકિત થયેલી બધી ગોવાલણો તે બાળકનું સારી રીતે પાલન-પોષણ કરે છે. યશોદાથી પાલન કરાતો બાળક નંદનવનમાં કલ્પદ્રુમની જેમ તે બાળક ગોવાલણોના એક હાથમાંથી બીજા હાથમાં ફરતો અત્યંત પ્રિય થયો. હવે પુત્રને જોવાની ઉત્સુકતાવાળી દેવકી ક્યારેક ક્યારેક ઉત્સવનું બહાનું કાઢીને વચ્ચે વચ્ચે કૃષ્ણના સ્નેહથી ગોકુલે જતી હતી વિવિધ પ્રકારે પાલન-પોષણ કરવામાં શિરમોર, ઊંચા સ્તનવાળી તેણી પણ તે બાળકને રમાડવા લાગી. આ પુત્રના વિયોગવાળી ખરેખર હું કમનસીબ છું, શું કરું? હે યશોદા ! તું ધન્ય છે. ત્રણ ભુવનની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે. કારણ કે આ પુત્રથી તારો ખોળો અલંકૃત થયો છે. એ પ્રમાણે ગોકુલની અને યશોદાની પ્રશંસા કરીને દેવકી મથુરા ગઈ. હવે પૂર્વનું વૈર યાદ કરીને પૂતના, શકુનિ અને વિદ્યાધરીઓ આવીને કૃષ્ણને ડરાવવા લાગી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy