SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચાર તમ્ ૩૭૫ તેટલામાં હું પૌષધશાળામાંથી બહાર આવીને સ્નાન કરેલો, શ્રૃંગાર કરેલો, પોતાના અંતઃપુરથી પરિવરેલો પ્રમદ ઉદ્યાનમાં દ્રૌપદીની સમીપે આવી ગયો. પછી તેને તેવા પ્રકારની અવસ્થામાં જોઈને મેં કહ્યું : “હે સુંદરી ! દ્રૌપદી ! ક્ષોભને કરીશ નહિ, હું તારો દાસ છું.” સર્ગ - ૧૭ = જેવી રીતે જંબુદ્રીપથી ઘાતકીખંડના આ દ્વીપમાં તને લાવ્યો છું. પદ્મ નામનો હું રાજા છું. તેથી તું મને વલ્લભ (સ્વામિ) માની લે (સ્વીકારી લે). પછી કાંઈક વિચાર કરીને તે બોલી : “જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં સુવર્ણ કિલ્લાવાળી દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ મારા પતિના મોટાભાઈ ત્રણ ખંડના અધિપતિ વસે છે. તે જો છ મહિનાની અંદર શોધી નહિ શકે તો હું તમારી આજ્ઞાધારી બનીશ.” આ વચનો સાંભળીને સંતોષ પામેલા મનવાળા એવા મેં દ્રૌપદીને અંતઃપુરમાં રાખી. તે પણ તે દિવસથી લઈને છટ્ઠછઠ્ઠના પારણે આયંબિલ વિક્ષેપ વિના એવો તપ કરતી હતી. તેથી હું પણ સ્વસ્થ ચિત્તે અંતઃપુર સાથે મારા મહેલે આવ્યો. મેં વિચાર્યું કે છ મહિનામાં અહીં કોણ આવશે ? મારા ભાગ્યના કારણે તમે અહીંયાં આવ્યા છો. પદ્મનાભના એ વચન સુણીને (સાંભળીને) પોતાના હાથે દ્રૌપદીને લાવીને પાંડવને સોંપીને પદ્મનાભને વિદાય આપીને પાંડવ સહિત કૃષ્ણ લવણસમુદ્ર તરફ ચાલ્યા. ત્યારે તે ચંપાનગરીમાં પૂર્ણભદ્ર બગીચામાં મુનિસુવ્રત જિન પાસે દેશના સુણતાં કપિલ નામના વાસુદેવે યુદ્ધનો આરંભ કરતાં કૃષ્ણના મુખ વડે પૂરાયેલા વાયુથી પંચજન્ય શંખનો અવાજ સાંભળીને આશ્ચર્યપૂર્વક (પામેલા) મનથી મુનિસુવ્રત જિનવરને કપિલે પૂછ્યું : “હે ભગવન્ ! ત્રણ ભુવનને ભરનારો સુસ્વર વિષ્ણુ એવા મારા જેવા પંચજન્ય શંખનો શબ્દ કોનો જણાય છે.” તેથી સ્વામિએ પદ્મનાભ રાજાની કથા સંપૂર્ણ કહી. પછી કપિલે કહ્યું : “હે સ્વામિન્ ! ત્યાં જઈને તે કૃષ્ણનું કંઈક સ્વાગત કરૂં.” સ્વામિએ કહ્યું : “હે કપિલ ! બે જિન, બે ચક્રવર્તિ, બે વાસુદેવ, એ બેઉ ભેગા થઈ વાર્તાલાપ કરે, એવું ક્યારે પણ બન્યું નથી. ક્યારે પણ એમ બનતું નથી અને ભવિષ્યમાં ક્યારે પણ એવું થશે નહિ, તો પણ તું કૃષ્ણની ધ્વજાને જોઈશ.” ,, એવી ભગવાનની વાત સાંભળીને કૃષ્ણની પાછળ દોડ્યો. કપિલ રથમાં બેસી તે જ ક્ષણે જ લવણસમુદ્રના કિનારા પર આવી ગયો. તેટલામાં કૃષ્ણ લવણસમુદ્રના અંતર(વચ્ચે) ભાગમાં આવી ગયા. પછી કપિલે કૃષ્ણના રથની ધજાઓને જોઈ. મેં કરેલા સ્વાગતને તમે સ્વીકારો. એ પ્રમાણે વ્યક્ત કરતાં અક્ષર (શબ્દ)વાળો કપિલે પોતાનો શંખ વગાડ્યો. તે સાંભળીને કૃષ્ણે પણ એ પ્રમાણે શંખ વગાડીને કહ્યું : જેમ કે પ્રેમપૂર્વકનું આ તારૂં સ્વાગત અમને મળ્યું. એ પ્રમાણે સ્પષ્ટ શબ્દવાળો કૃષ્ણે પણ પોતાનો શંખ વગાડ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy