SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ | ૩િ૬૩) પાંડવ ચરિત્રમ્ આવી પાપને દૂર કરનારી જિનમુખથી દેશના સાંભળીને વરદત્ત રાજાએ ઉઠીને વ્રત (દીક્ષા) લેવાની ઇચ્છા બતાવી. તેથી પ્રભુએ તેને દીક્ષા આપી. તેની પાછળ બે હજાર રાજાઓએ દીક્ષાનો સ્વીકાર કર્યો. તેમાંથી વરદત્ત વગેરે અગિયાર (અઢાર પણ છે.) ગણધરો સ્થાપ્યા તેઓએ પણ ભગવાનના મુખથી ઉત્પત્તિ, સ્થિરતા અને વ્યય (વિલિનતા) રૂપ ત્રિપદી સાંભળીને મહાબુદ્ધિશાળી હોવાથી દ્વાદશાંગીની રચના કરી. તેના નામ આ પ્રમાણે છે... (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતિસૂત્ર, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃત, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર, (૧૨) દૃષ્ટિવાદ, એ પ્રમાણે બાર અંગોની રચના કરી. પછી સર્વ અવયવોથી સુંદર લાવણ્યમયી ઘણી કન્યાઓની સાથે રાજપુત્રી યદિન્નાને દીક્ષા આપી. પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપી. તે વખતે દીક્ષા લેવાની ઇચ્છાવાળી રાજીમતિને જોઈને કૃષ્ણ પ્રભુને પૂછ્યું: “હે પ્રભુ! રાજીમતિને આપના પર વચનથી અગોચર (વચનાતિત) ગાઢ પ્રીતિ છે. તેનું શું કારણ?” પ્રભુએ કહ્યું : “હે કૃષ્ણ ! એનો મારા પર આઠ ભવથી સ્નેહ રહ્યો છે. તેથી તે મને લાંબાકાળથી જુએ છે.” પછી કૃષ્ણના કહેવાથી તે રાજમતિને દીક્ષા આપીને સ્નેહને નિષ્ક્રિય કર્યો. સમુદ્રવિજયાદિ દસ ભાઈઓએ, ઉગ્રસેનાદિ રાજાઓએ, બલભદ્ર, કૃષ્ણ, પાંડવાદિને અને શામ્બ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ નેમિનાથ પ્રભુની પાસે શ્રાવક ધર્મ અંગીકાર (સ્વીકાર) કર્યો. રોહિણી, દેવકી, સત્યભામા, રુક્મિણી આદિ નારીઓએ ભગવાનની પાસે શ્રાવિકાપણું સ્વીકાર્યું. એ પ્રમાણે પ્રભુની પહેલી સભામાં (દેશનામાં) ચતુર્વિધ સંઘ થયો. પછી પ્રભુને નમીને દેવેન્દ્રો દેવલોકમાં ગયા. કૃષ્ણ, પાંડવો અને ભાઈઓ સાથે દ્વારકા નગરીમાં આવ્યા. વર્ષાઋતુ અને શરદઋતુને પસાર કરીને ભગવાન પણ પૃથ્વી પર વિહાર કરી ગયા. કોઈપણ રીતે પ્રીતભર્યા કૃષ્ણને પૂછીને પૌરજનોને આનંદ આપનારી અને સંપૂર્ણ સુંદર ઔષધરૂપ પ્રભુની વાણીની સૌરભને વિચારતા પાંડવો શીધ્રતર પોતાની પુરી હસ્તિનાપુરમાં આવી ગયા. આ પ્રમાણે શ્રીમતપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં નેમિવિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને ચતુર્વિધ સ્થાપનાદિનું વર્ણન કરતો સોળમો સર્ગ પૂર્ણ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy