SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ ૩િપ૭) પાંડવનચરિત્રમ્ એ પ્રમાણે બધા પશુઓ પોકાર કરે છે. નેમિએ કેટલાકને ગળામાં બંધનવાળા જોયા. એવી રીતે કેટલાકના પગમાં બંધન જોયા. કેટલાકને પાંજરાનું બંધન જોયું. એ રીતે વાડામાં દીનતાભર્યા મુખવાળા બધાને બાંધેલા જોઈને અનુકંપાથી કાંપતા મન વડે કરીને વાડાના રક્ષકને અને સારથિને ઇનામમાં પોતાના અંગ પર લાગેલા આભૂષણાદિ આપીને સર્વ જીવોને બંધન વગરના કર્યા. એટલે કે છોડાવી દીધાં. જેમ કે કરૂણાધારીઓમાં એક અગ્રણી નેમિએ તે જીવોને છોડાવી દીધા અને વૈરાગ્યભાવથી રથને મહેલ તરફ પાછો વાળ્યો. સમુદ્રવિજય, કૃષ્ણ, બલભદ્ર અને અન્ય પણ, વળી શિવાદિ સ્ત્રીઓ વાહનો છોડીને તેની આગળ આવી ઊભી. | શિવાદેવી સહિત સમુદ્રવિજયે કહ્યું : “હે પુત્ર ! કયા કારણે (શા માટે) આ વિવાહ મહોત્સવથી પાછો ફરે છે ?” નેમિએ કહ્યું : “હે માતા-પિતા ! નરકના માર્ગમાં ભાથા સમાન લગ્નથી સરો, એટલે કે નરકના કારણભૂત લગ્ન સરો (દૂર) રહો. આ વિષયોથી વિડંબિત થયેલો હું ચાર ગતિરૂપ સંસારમાં નટ બની નાચ્યો છું. ફરી પણ વિષયમાં આસક્ત બની સંસારમાં શા માટે (કેમ) ભમ્ ?” એ પ્રમાણે વિચાર કરીને વિષયોથી વિરક્ત બન્યો છું. હવે હું આપની આજ્ઞાથી કર્મશત્રુને જીતીશ. જેમ કે પ્રશંસનીય સંમતિરૂપ શ્રેષ્ઠ સંયમરૂપ શ્રેષ્ઠ ઘોડા પર ચડીને તીણ તપરૂપ શસ્ત્ર થકી આ શત્રુઓનો નાશ કરીશ. એવા નેમિના વચનને સાંભળીને માતા-પિતા વજઘાત થયેલાની જેમ મૂર્છાને પામ્યા. તે શિવાદેવી.અને સમુદ્રવિજયને આશ્વાસન આપીને કૃષ્ણ નેમિને કહ્યું: “હે કુમાર ! તારાથી બીજો અધિક દયાળુ આ સંસારમાં કોણ છે ? જે તે બધાય પ્રાણીઓને દુઃખથી છોડાવ્યા છે, તો પછી પોતાના મા-બાપની રક્ષા કેમ કરતો નથી ? કહ્યું છે કે : માતાપિતાનો ઉપકાર (દુષ્પતિકાર)વાળી શકાતો નથી તથા જ્યાં પિતાનો આનંદ ત્યાં અમારો પણ આનંદ હોય. હાલ રાજીમતિનું પાણિગ્રહણ (લગ્ન) કરીને માતા-પિતાને આનંદિત કરીને અમને હર્ષિત કરીને પછી સંયમરૂપ ઉદ્યાનમાં વિચરણ કરજે.” કૃષ્ણ કહેલું સાંભળીને હસતાં હસતાં નેમિએ કહ્યું : “હે કૃષ્ણ ! યમની જીભ જેવા સંસારથી તથા સળગતી જ્વાલાની ઉપમા સમાન સંસારથી પુત્ર નીકળી જતાં પિતાને કેમ આનંદ થતો નથી ? હે માતા-પિતા ! સંસારથી ડરેલો હું તપનો આશ્રય કરૂં .” જ્યાં જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગ અને મરણનું દુઃખ છે. અહો ! જ્યાં પ્રાણીઓ દુઃખ પામે છે, તે સંસાર દુઃખમય છે. દેવો વિષયમાં ફસાયેલા છે. નારકીઓ વિવિધ દુઃખથી સંતપ્ત છે. તિર્યંચો વિવેક રહિત છે. મનુષ્ય ભવમાં જ એક ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy