SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૬ જેમ કે કેટલીકને ગાલ ઉપર, કેટલીકને છાતીના ભાગ ઉપર, સૂકી જમીન પર (બેટ પર) બેઠેલી કેટલીકને નેમિએ જલ છાંટી ભીંજવી. ત્યાં જલક્રીડા વખતે તે નારીઓના કટાક્ષ વડે નેમિનાથ અલ્પ પણ ચલિત ન થયા. કારણ કે મહાવંટોળીયાથી શું મેરૂ પર્વત ચલિત થાય છે ? જામ્બુવતીએ હાથનું આલંબન આપી ધીરે ધીરે નેમિને પુષ્કરણીમાંથી બહાર કાઢ્યા. તેની પાછળ કૃષ્ણને બહાર કાઢ્યા. પછી તેઓને માટે રુક્મિણી ચંદ્રકિરણ વડે બનાવેલું પાણી જેવું ઉજ્જવલ દેવદુષ્ય વસ્ત્ર લાવી કેટલીક કૃષ્ણની નારીઓ નેમિને સિંહાસને બેસાડીને વાળને ઓળીને ધૂપાદિ વડે સુવાસિત કરીને પુષ્પોથી ગૂંથેલી નવી વેણીને બાંધી. કેટલીક સુવર્ણ જેવી સુંદર રૂપવાળી કૃષ્ણની નારીઓ સુવર્ણાદિ અલંકારોથી નેમિને શણગારે છે. કેટલીક મસ્તક ઉપર છત્ર ધરીને ચામરો વડે વીંઝવા લાગી. પછી કૃષ્ણની પટ્ટરાણી સત્યભામા નેમિના પગ દબાવીને આગળ રહીને વિનયથી નમવાપૂર્વક કહેવા લાગી : “હે કુમાર ! આ સંસાર પત્નીથી સારવાન છે.” કહ્યું છે કે : “લક્ષ્મીવાન હોવા છતાં પણ મનુષ્ય પત્ની વિના ધૂળ સમાન અને દરિદ્ર છે. આ સંસારમાં પત્ની વિના કંઈ પણ નથી.” જેમ કે ઇન્દ્રને ઇન્દ્રાણી, બ્રહ્માને સાવિત્રી, કૃષ્ણને લક્ષ્મી, શિવને પાર્વતી, કામદેવને રતિ અને પ્રીતિ, ચંદ્રને રોહિણી અને સૂર્યને તારા છે. એ પ્રમાણે બધા દેવોને પણ દેવીઓ છે. ઋષભદેવ આદિ તીર્થકરો પણ લગ્ન કરીને મોક્ષે ગયા છે. આથી તમે પણ એક સ્ત્રીને પરણો, જેથી અમારા બધા મનોરથો પૂર્ણ થાય. કહ્યું છે કે- તમારું આવું સૌભાગ્ય છે કે આ રૂપ, આ ઉંમર, ઉદાર ગુણવાળી નારી વિના બધું નિષ્ફળ છે. તે તું સમજ. તેવી રીતે ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરુષાર્થ વિશે સ્ત્રી વિના કામ અને અર્થ હોતા નથી. સ્ત્રી વિના પુત્ર જન્મ થતો નથી. પુત્ર વિના કુળની પરંપરા કેવી રીતે થશે? ઘણા શબ્દાદ વિષયો પણ સ્ત્રીથી જ હોય છે. મીઠાથી જેમ રસવંતી મીઠી બને છે, તેમ તારા લગ્ન થતાં માતાપિતા, ભાઈઓ વગેરે સર્વ સ્વજન વર્ગો પણ અત્યંત ખુશ થશે. એ પ્રમાણે કૃષ્ણની સર્વ અંતઃપુરની સ્ત્રીઓએ ચરણમાં પડીને વારંવાર કહ્યું તે પછી કૃષ્ણ પણ તેમ કહ્યું. ત્યારે ત્યાં આવેલા શિવાદેવી અને સમુદ્રવિજયે પણ તેવી જ રીતે કહ્યું. હવે નેમિ વિચારે છે : અહો ! મારા જેવાને પણ મોટું સંકટ આવી પડ્યું. હવે શું કરું? એક બાજુ યાદવ સ્ત્રીઓના લગ્ન માટેનો આગ્રહ એક બાજુ કૃષ્ણનો આગ્રહ અને બીજી બાજુ માતાપિતાનો આગ્રહ. હવે કેવલી ભગવંતે જોયેલો ભાવ જ થશે. એટલે કે કેવલી ભગવંતે જોયેલું જ થશે, તો પણ બુદ્ધિશાળીએ માતા ની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. એમ વિચારીને નેમિએ સાનંદ માતાનું વચન સ્વીકાર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy