SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૧ ૨૬૧ યુદ્ધમાં કોનો જય થશે ? કોનો પરાજય થશે ? એ નિશ્ચય થતો નથી. કહ્યું છે કે :- પુષ્પથી પણ લડવું નહિ. તો પછી શું તીક્ષ્ણ બાણોથી લડાય ? યુદ્ધમાં વિજયનો સંદેહ છે અને પ્રધાન પુરુષનો પણ ક્ષય થાય છે. પાંડવ ચરિત્રમ્ આથી તમારે રાજ્યને માટે પરસ્પર લડવું ન જોઈએ. એ પ્રમાણે સંજયે કહેલું સાંભળીને યુધિષ્ઠિરે હસતા મુખે તેને કહ્યું કે : “હે આર્ય સંજય ! પિતા પાણ્ડએ અને ધૃતરાષ્ટ્રે બંનેને પૃથ્વીનો ભાગ કરીને આપી છે. તે પૃથ્વી હું તેર વર્ષ સુધી જુગા૨ ૨મવાથી દુર્યોધન પાસે હારી ગયો છું. હવે અવધિ પૂર્ણ થતાં અમે વનવાસી અહીં દ્વારિકામાં કૃષ્ણની પાસે આવ્યા છીએ. અમારી પાસેથી લીધેલું રાજ્ય પાછું આપીને દુર્યોધન પોતાના સ્થાનમાં જાય. જો નહિ આપે તો અમારો શું દોષ ? કહ્યું છે કે :– બળવાનનો આ ધર્મ છે. એ કંઈ ગાવા (કહેવાની) વાત નથી. ભાઈઓ પાસેથી બલાત્કારથી પણ લઈને ભૂમિ ભોગવાય છે. મારી પાસેથી લઈ લીધેલું રાજ્ય પાછું આપીને સુખે રહે. કારણ કે, ભાઈના વિરોધના કારણે મારૂં રાજ્ય કેવી રીતે છોડું ? હે સંજય ? યુદ્ધમાં શૂર, પરાક્રમનું ઘર એવા મારા ભીમાદિ ભાઈઓ વિના યુદ્ધે પોતાની પૃથ્વીને છોડતા નથી. હે સંજય ! એ પ્રમાણે વૃદ્ધ પિતા ધૃતરાષ્ટ્રને મારૂં કહેલું બધું કહે. ભીમસેને કહ્યું : “હે સંજય ! પૃથ્વી પાછી આપશે તો પણ તે દુર્યોધન સાથે યુદ્ધ કર્યા વિના અમે સંધિ નહિ કરીએ. હે સંજય ! તમારે રણઉત્સવ આવ્યો છે. આ સંગ્રામ ઉત્સવમાં જોડાનારા સૌ વૈરીનું તાંડવ તું જોઈશ. તેવી રીતે આ યુદ્ધમાં દુર્યોધનની જાંધ તોડીને દુઃશાસનની ભૂજા છેદીને વૈરનું નિવારણ કરીશ. અર્થાત્ વૈરને વાળીશ, વૈર લઈશ ત્યારે યુદ્ધરૂપ સાગરને પાર જઈશ, પામીશ.'' એ પ્રમાણે અર્જુને પણ કહ્યું, એ પ્રમાણે નકુલ અને સહદેવે પણ કહ્યું. પછી પાંડવોએ વિદાય આપેલો સંજય હસ્તિનાપુર આવ્યો. ત્યાં આવીને ધૃતરાષ્ટ્રના પગમાં નમીને સંજયે પાંડવોએ કહેલું કહ્યું. દ્રૌપદીના બાલો (વાળ) ખેંચવાના બદલાની સાથે અને તમારા પુત્રોના પ્રાણો સાથે પાંડવો પૃથ્વી લેશે. હે રાજન્ ! તેજસ્વીઓનો તિરસ્કાર કરવાથી દુર્યોધનાદિ તમારા પુત્રોનું આજ (હમણાં) જીવન જોખમ ભરેલું દેખાય છે. કારણ ક શૂરવાર એવા તેઓ શત્રુઓનો હસ્તક્ષેપ કદીય સહન કરતા નથી. શૂરવી૨ને દુશ્મન બનાવનારા રાજાઓને માત્ર ગુફાઓ શરણ આપે છે. આટલો કાળ જવા છતાં પણ જો તેઓ અડધું રાજ્ય આપે તો બધાનું કલ્યાણ થાય. નહિ તો તે મહાન લોકો મસ્તક સાથે રાજ્ય લઈ લેશે. આવું સંજયનું કહેલું સાંભળીને દુર્યોધન ભ્રમર ચડાવીને બોલ્યો : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy