SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ [૧૦]. પાંડવ ચરિત્રમ્ તે પત્ની સાથે વૈષયિક સુખ ભોગવતા તે રાજાનો કેટલોક કાળ પસાર થયો. એક દિવસ તેની સાથે વનસ્થલી (પ્રદેશ)માં ગયો, ત્યાં રાજા સાથે ક્રીડા કરતી પટ્ટરાણી પ્રિયંગુમંજરી બચ્યા સાથે બે મૃગને લાંબાકાળ સુધી જોઈને આ પ્રમાણે ચિંતવે છે. આની મૃગપત્ની ધન્ય છે. પોતાના બાળકને સ્વેચ્છાપૂર્વક પાલતી વનમાં ફરે છે. હું બાળક વિનાની અધન્ય છું. આ રાજ્યથી શું? આ સુખથી શું? એ પ્રમાણે ખેદ પામેલી રાણીને જોઈને તેની ચિંતાથી રાજા પણ દુઃખી થયો. પછી તે દંપત્તિએ સંતાનને માટે જાતે જ લાંબાકાળ સુધી ચક્રેશ્વરી દેવીની ઘણી ઉપાસના કરી. તેઓએ ઉપાસના કરેલી ચક્રેશ્વરી દેવી શંખ, ચક્ર, ગદા, શાંગ (ધનુષ્ય) જેના હાથમાં છે તેવા ચાર હાથવાળી અને સિંહ પર બેઠેલી એક પખવાડીયા બાદ પ્રગટ થઈ. તેથી તે બે જણાએ દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. સેવા માટે આવેલા સુર, અસુર (દાનવ), નર વડે સ્તુતિ કરાયેલી, શત્રુના સૈન્યના સમૂહને ત્રાસ પમાડનારી હે દેવી ચક્રેશ્વરી, તને નમસ્કાર થાઓ. આ સ્તુતિ સાંભળીને કલ્પવેલડી સદશ જગતની માતા ચક્રેશ્વરીએ તેઓને કહ્યું : “હે વત્સો! હું તમને ચાહું છું. હું શું સહાય કરું ?” તેઓએ કહ્યું : અમારો સંતાન ન થવાના દોષને દૂર કર.” દેવીએ કહ્યું : “સવારે દમનક નામના ચારણ ઋષિ મારી પ્રેરણાથી આવશે. તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરશો તો તમારા પર પોતાની શક્તિ દ્વારા ઉપકાર કરશે.” એ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી તે બંને જણા સૂઈ ગયા અને તે રાત્રિને પસાર કરી પ્રભાતે ઉઠી પ્રાતઃ કાર્ય કરીને જ્યાં સુખાસન પર બેઠા હતા, ત્યાં કમલની કેસરાના દલ જેવા ગૌર વર્ણવાળા દમનક નામના મુનિ આકાશમાંથી ઉતર્યા. આકાશમાંથી ઉતરતા તે મહામુનિને જોઈ હર્ષિત થયેલા તે બંને ઊભા થયા. પછી તેમને સુવર્ણના સિંહાસન પર બેસાડીને નમસ્કાર કરી બે હાથ જોડી વિનયપૂર્વક નમ્ર દેહવાળા આ પ્રમાણે બોલ્યા. આજે હાથમાં ચિંતામણિ આવ્યું છે અને આજે આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું છે. જે કાંઈ આ મને મોકલ્યું છે, તે તમારા આવવાથી મળ્યું છે. એ પ્રમાણે સ્તુતિ કરીને તેઓ બોલ્યા : “હે મુનિ! મારે સંતાન ક્યારે પ્રાપ્ત થશે ?” તે સાંભળીને દમનક મુનિએ કહ્યું : “હે રાજન્ ! સંગથી મુક્ત હોવા છતાં પણ મુનિઓ શ્રાવક બાંધવની ભક્તિ જોઈને ખુશ થાય છે. આથી હું કહું છું. હે રાજન્ ! હે પ્રિયંગુમંજરી મારા ધર્મલાભના આશિષથી તમને ત્રણ જગતને માન્ય એવી કન્યારૂપે સંતાન પ્રાપ્ત થશે. વળી તે પછી ત્રણ પુત્રો થશે.” એ પ્રમાણે સાંભળીને હર્ષિત થયેલા રાજાએ મુનિને કહ્યું : “હે મુનિ ! જે અમે સંતતિનો પ્રશ્ન કર્યો, તે ક્ષમા કરો. અમારું આ દુષ્કૃત્ય (પાપ) નાશ પામો. તમે પણ તમારું ઇચ્છિત સાધો, તમારો માર્ગ કલ્યાણકારી બનો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy