SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું પૌષધવાળાઓને એકાસણાં અને પ્રભાવના વગેરે ખાતું. ઉપરોક્ત નામવાળા અથવા તો કોઈ પણ તપ-જપ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક કાર્ય કરનારા સાધર્મિકોની ભક્તિ માટે જે દ્રવ્ય ભેગું થયું હોય તે દ્રવ્ય દાતાની ભાવના મુજબ તે તે ખાતામાં વાપરવું જોઈએ. તે રકમમાં વૃદ્ધિ હોય તો સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાપરી શકાય. પરંતુ કોઈ સાર્વજનિક કાર્યોમાં વાપરી શકાય નહિ, કારણ કે આ દ્રવ્ય માત્ર ધાર્મિક ક્ષેત્રનું દ્રવ્ય છે. નોંધ : સાધુ-સાધ્વીજીના તપના પારણા કરાવવાની બોલી બોલાવવી યોગ્ય નથી. પરંતુ અજ્ઞાનતા વશ ક્યાંક કોઈએ બોલી હોય તો તે દ્રવ્ય સાધુ-સાધ્વી સંબંધી હોવાથી ગુરુદ્રવ્યની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર અથવા નવનિર્માણ માટે દેવદ્રવ્યમાં જમા કરાવવું જોઈએ. ૧૬. નિશ્રાકૃત - દાનવીરો દ્વારા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્ય માટે આપેલા દ્રવ્યનો ઉપયોગ તે-તે કાર્ય માટે જ કરી શકાય છે. એમાં વૃદ્ધિ હોય તો શાસ્ત્રીય મર્યાદાનુસાર ઉપરના ખાતામાં લઈ જવાય. ૧૭. કાલકૃતા ખાસ કરીને પોષ દશમી, અક્ષય તૃતીયા, જિનમંદિરની સાલગીરા વગેરે પર્વોના નિશ્ચિત દિવસોમાં વાપરવા માટે દાતાએ જે દ્રવ્ય આપ્યું હોય તો તેનો ઉપયોગ તે-તે દિવસ સંબંધી કાર્યોમાં જ કરવો જોઈએ. ૧૮. અનુકંપા દરેક દીન-દુઃખી, નિઃસહાય, વૃદ્ધ, અનાથ, અપંગ લોકોને અન્ન-પાણી, વસ્ત્ર, ઔષધિ વગેરે આપવા દ્વારા દ્રવ્ય દુઃખ ટાળીને પરંપરાએ ભાવદુઃખ (સંસાર) ટાળવાનો પ્રયત્ન એટલે અનુકંપા આના માટે મળેલી રકમ ઉપરોક્ત કાર્યોમાં વાપરવી જોઈએ. ૨૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy