SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અંજનશલાકા-પ્રતિષ્ઠા-જિનભક્તિ મહોત્સવના પ્રસંગે નવકારશી (સાધર્મિક વાત્સલ્ય) વગેરેની બોલી તેમજ નકરાનો ઉપયોગ. સાધર્મિક વાત્સલ્યમાં તથા જો ૨કમ વધે તો સાધર્મિક ભક્તિના દરેક કાર્યોમાં તેમજ જિનભક્તિ મહોત્સવ સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગ થઈ શકે. આ દ્રવ્યનો ઉપયોગ વિહાર સ્થાનોમાં રસોઈ વગેરે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં કરી શકાય છે. - ઝાંપા ચૂંદડી કે ફલે ચૂંદડીના ચડાવાની આવક સર્વ સાધારણ (શુભ) ખાતામાં જાય છે. એમાંથી દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે. - - કુંકુમ પત્રિકામાં લિખિતં/સાદર પ્રણામ/જય જિનેન્દ્ર રૂપે નામ લખવાની બોલી-નકરાની ૨કમ કે મહોત્સવના શુભેચ્છક, સૌજન્ય, આધારસ્તંભ, સહાયક વગેરે તરીકે નામ આપવાની જે ૨કમ આવે તેનો ઉપયોગ : - જિનભક્તિ મહોત્સવના પ્રભાવના, સાધર્મિકવાત્સલ્ય, સંગીતકાર, પત્રિકા છપાવવામાં વગેરે દરેક કાર્યો કરી શકાય. ૧૧-સર્વ સાધારણ (શુભ) ધાર્મિક કે ધર્માદા એમ કોઈ પણ શુભ કાર્યમાં વા૫૨વા માટે કોઈ સર્વ સાધારણનું ફંડ એકઠું કર્યુ હોય તો એ દ્રવ્યનો ઉપયોગ ધાર્મિક કે ધર્માદા કોઈ પણ શુભકાર્યમાં કરી શકાય છે. ઉદાહ૨ણ : ચાતુર્માસમાં દરેક કાર્યોનો ખર્ચો કરવા માટે કે વાર્ષિક કોઈ પણ કાર્યોના ખર્ચ પેટે જે પણ ફંડ ક૨વામાં આવે છે તે સર્વ સાધારણ ખાતું કહેવાય. બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક-એક; એમ બાર મહિનાની ૨૪ બોલીઓ બોલીને આ ખાતામાં આવક ઉભી કરી શકાય છે. - કુદરતી આફત, સામાજિક આફત, સરકારી પ્રશ્નો વગેરેમાં ચેરીટી (ધર્માદા) તરીકે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે. - ઝાંપા ચૂંદડી કે ફલેચૂંદડીના ચડાવાની આવક આ શુભ ખાતામાં વાપરી શકાય છે. ૧૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy