SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ રહીને ધ્વજા ચડાવી શકાય તેવો બીજો માર્ગ કાઢી શકાય તેમ છે, તે આપણે અંતમાં જોઈશું. આચાર દિનકર' નામના વર્ધમાનસૂરીજીએ રચેલા વિધિવિધાનના જૈન ગ્રંથમાં તથા શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાસાદને દેવ-સ્વરૂપે વર્ણવેલ છે. તેમાં પ્રતિમા આત્મા છે અને પ્રાસાદ દેહ છે તેવો અર્થ આપેલો છે. આમલસાર ગ્રીવા (ડોક) છે અને કળશ મસ્તક છે તથા ધ્વજા તેના કેશ છે, તેમ જણાવેલ છે. પ્રતિમાના દેહસ્વરૂપ પ્રાસાદ ઉપર પોતાની માન્યતા મુજબની સગવડ માટે, જેમ મજુરના માથે ટોપલો ચડાવે, તેમ પાંજરા અને સીડીઓ ચડાવવી, તે ઘણો મોટો અવિનય ગણાય. આ પાંજરા અને સીડીથી મંદિરનો દેખાવ ચબુતરા જેવો અને તેથી પણ બદતર થઈ જાય છે તથા શિલ્પસ્થાપત્યનું બધું જ સૌંદર્ય તેથી હણાઈ જાય છે. દુઃખની વાત તો એ છે કે, પોતાના બાંધેલા મંદિરો ઉપર આવા પાંજરા ચડાવીને તેનું સૌંદર્ય હણી નાખનારા શ્રાવકોનો વિરોધ શિલ્પીઓ પણ કરતા નથી. આમલસારને પ્રાસાદની ગ્રીવા એટલે ગળું માનવામાં આવ્યું છે. કઠેડાથી પ્રાસાદનું ગળું દબાય છે અને આવું કરવું એ ઘણીવાર અનર્થને નોતરનારું બને છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, સાંપ્રત સમયના આ ટૂંકા ગાળામાં દેવસ્વરૂપ પ્રાસાદો ઉપર ધાતુઓના પાંજરાઓ કે પથ્થર લગાડીને, આપમતિથી મનસ્વી રીતે જે કાંઈ અશાસ્ત્રીય અને આશાતનાકારક રિવાજ શરૂ કરવામાં આવ્યો હોય, તેના દાખલા લઈને ગતાનુગતિક રીતે હવે વધુ મંદિરો ઉપર એનો અમલ કરવામાં ન આવે તો સારું, તેમજ જ્યાં આવું બાંધકામ થયું હોય, ત્યાંથી સીડી-કઠેડા આદિ હઠાવી લેવામાં આવે એ અત્યંત જરૂરી છે. પ્રાસાદ દેવસ્વરૂપ અને પ્રતિમાજીના દેહ સ્વરૂપ હોવાથી પ્રતિમાની જેમ જ તેને પણ પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે, તે પ્રતિષ્ઠાવિધિના જાણકારોને તો સમજાવવું પડે તેમ નથી જ. આ જાણકારોએ આ દુષ્ટપ્રથા ઊંડા મૂળ ઘાલે, તે પહેલાં જ તેને ઉખેડી નાંખવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. પ્રાસાદના ઉપર ચડવું પડે નહિ અને શ્રાવકો પોતાના હાથે ધ્વજા ચડાવી શકે, તેવું કેવી રીતે બને, તે હવે જોઈએ. “અપરાજિત પૃચ્છા' નામના શિલ્પ ગ્રંથમાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૭
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy