SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૧૯૯૦માં રાજનગર (અમદાવાદ)માં મળેલ શ્રમણ સંમેલને દેવદ્રવ્યને અંગે કરેલ મહત્ત્વનો નિર્ણય. ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ન વપરાય. ૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય ગણાય છે. ૪. શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય, તો દેવદ્રવ્યમાંથી પ્રભુ પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પણ પ્રભુની પૂજા આદિ તો જરૂ૨ જ થવી જોઈએ. ૫. તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂ૨ી મિલ્કત રાખી બાકીની મિલ્કતમાંથી તીર્ણોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ. એમ આ મુનિ સંમેલન ભલામણ કરે છે. વિજયનેમિસૂરિ, જયસિંહસૂરિજી, આનન્દસાગર, વિજયવલ્લભસૂરિ, વિજયનીતિસૂરિ, મુનિ સાગરચંદ, શ્રી રાજનગર જૈન સંઘ કસ્તુરભાઈ મણીભાઈ વંડાવીલા તા. ૧૦-૫-૩૪ વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રી રાજનગ૨ (અમદાવાદ) રહેલા શ્રી શ્રમણસંઘે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું તેની નકલ. દેવદ્રવ્ય ૧. જિનપ્રતિમા, ૨. જૈન દેરાસર વિજયસિદ્ધિસૂરિ, વિજયદાનસૂરિ, વિજયભૂપેન્દ્રસુરિ, દેવદ્રવ્યની વ્યાખ્યા : પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૭
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy