SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-૭ નારીયેલ, ચોખા, બદામ શેમાં વપરાય ? ઉત્તર-નારીયેલ ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ. પ્રશ્ન-૮ આંગીનો વધારો શેમાં વાપરવો ? ઉત્તર-આંગીમાંથી વધારો કાઢવો વ્યાજબી નથી, કારણ કે તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ. સદ્ગૃહસ્થો ! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે અને તેની બૂમ કદિ પણ આવશે નહિ, એ જ શ્રેય છે. 45 લિ. હંસવિજય સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તેમજ માલારોપણની ઉપજ પણ તે દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે વિષે પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્પષ્ટ શાસ્ત્રાનુસારી ફરમાન નોંધ : સ્વપ્નાની ઉપજ વિષે તથા ઉપધાન તપના માલારોપણની ઉપજ વિષે શ્રીસંઘને સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપવાના જ એક ઉદ્દેશથી પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ જે “સાગર સમાધાન' ગ્રંથમાં ફરમાવેલ છે, તે પ્રત્યેક ધર્મારાધકે સમજવા જેવું છે. - સંપાદક પ્રશ્ન-૨૯૭ ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની બોલાતી ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિ લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે ? સમાધાન-ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાન ખાતામાં તે ઉપજ જઈ શકે – એમ કદાચ માનતા હો. પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૫
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy