SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમતિ-સંમતિ ક્યાંથી હોય, તે સ્વયં વિચારી લેશો. વિનસંતોષી માણસો બીજાની હાનિ કરવા “ય તન્ના” કોઈ બકે તેથી શું? જો કોઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરવો નહિ. મારા જાણવામાં તો કોઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય. હાલ એ જ. દ : ચતુરવિજય પૂ. આત્મારામજી મ.નાં જ આજ્ઞાવર્ત મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય નોંધ : બીજો મહત્ત્વનો પત્ર અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે; જે પણ ખૂબ જ ઉપયોગી હકીક્ત પર પ્રકાશ પાડે છે, પૂ.આ.ભ. શ્રી વિજયાનંદસૂરિજી મ.શ્રી અમરનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્ત દીક્ષિત પ્રશિષ્યરત્ન પૂ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજશ્રીના શ્રદ્ધય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપુર શ્રીસંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતો શાસ્ત્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરુષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રીસંઘોને અનંત ઉપકારી પરમતારક શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબ જ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કોઈ સહૃદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે. - સંપાદક શ્રી પાલનપુરના સંઘને માલુમ થાય કે, તમોએ આઠ બાબતોનો ખુલાસો લેવા મને પ્રશ્ન કરેલ છે, તેનો ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરું છું. પ્રશ્ન-૧ પૂજા વખતે ઘી બોલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ? ઉત્તર-પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્ધારાદિ કામમાં વાપરી શકાય છે. ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૩ .
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy