SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગુરુ ભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર પહોંચ્યો, વાંચી સમાચાર જાણ્યા. તમોએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં પ્રથમ અઢી રૂપીયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચનો ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરો છો, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ કે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હોય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક ઓછું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયો નથી. છતાં તમો વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી તથા વિજયનેમિસૂરિ મહારાજને પૂછાવી લેશો. તમારા જેવા ગૃહસ્થો ધારો તો સાધારણનો લેશ માત્ર ખાડો ન પડે, ન ધારીએ તો પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો અડધ કરવું હોય તો ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશો. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશો. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તો પાટણ શહેરના દહેરાસરજીની જાત્રાનો લાભ લેશો. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૭ ,
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy