SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ઈડર આ.સ. ૧૪ પૂજ્ય આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકા૨ક જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, તો દેવદ્રવ્યનો ભાવ રૂપિયા રહ્યા છે. તેનો પાંચ કરી ૨ા સાધારણ ખાતામાં લઈ જવા માંગો છો તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાને ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાનો ભય રહે છે માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કોઈ પ્રકારના લાગા નાંખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે. તેની અમોને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઊઘમ રાખશો. ૬ : પ્રવિણવિજયના ધર્મલાભ. (૬) મુંબઈ લાલબાગ ભા.વ. ૧૪ પ.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. ત૨ફથી શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ ભક્તિકા૨ક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીક્ત જાણી. સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે. વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી. ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે. ભાવનગરની ચોક્કસ માહિતી નથી. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૫
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy