SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણાલિકા છે ? અને તે શહેરોના શ્રીસંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બોલીના ઘીની ઉપજનો કરે છે ? તે માટેનો આપનો અનુભવ જણાવવા મહેરબાની કરશોજી. શ્રીસંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય તો, શ્રીસંઘ દોષિત થાય કે કેમ ? તે માટે આપશ્રીનો અભિપ્રાય જણાવશોજી. સંઘના પ્રમુખ, 45 લિ. જમનાદાસ મોરારજી ફરીથી તે વિષયનો શ્રીસંઘે લખેલ બીજો પત્ર પૂજ્યપાદ.... સવિનય લખવાનું કે અત્રેના શ્રીસંઘ સુપનાની ઘીની બોલીના રૂા.રા)નો દર ગયા વર્ષ સુધી હતો.જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રીસંઘે વિચારકરી એક ઠરાવ કીધો કે, “અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂા. રા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલો ઠરાવ શાસ્ત્રના આધારે બરાબર છે કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રીસંઘો સુપનની બોલીની ઉપજની રકમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તે જણાવશોજી. નોંધઃ સાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ.પાદ સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતોનાં તરફથી જે જે પ્રત્યુત્તરો શ્રીસંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. ઉપર આવેલા છે તે બધાયે પત્રો અત્રે રજુ કરેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાશે કે, “સુપનની ઉપજના નામે વધારો કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય.” તેમ સચોટ અને મક્કમપણે પૂ.પાદ શાસનમાન્ય આચાર્ય ભગવંતોએ ફરમાવેલ છે, તો આજે જેઓ સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૦૧
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy