SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 300 ક્ષત્રપકાલીન ગુજરાત ઉપરકોટની ગુફાઓ જૂનાગઢ નગરના ઉપરકોટ વિસ્તારમાં આવેલી ગુફાઓ સ્થળવિશેષના નામ ઉપરથી ‘ઉપરકોટની ગુફા' તરીકે ઓળખાય છે. આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં આ ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત બે વખત ક્ષેત્રકાર્ય દરમ્યાન લીધી હતી અને ત્યાંના સુરક્ષિત અવશષોની કાળજીપૂર્વક ચોકસાઈપૂર્ણ નોંધ લીધી હતી, જે આધારે આ વર્ણન કર્યું છે. ઉપલો મજલો : આ ગુફાઓ બે જમલાની એક શૈલગહરૂપે કંડારાયેલી છે, ઉપરકોટ સ્થળની પ્રસ્તુત ગુફા નજીકની સપાટ જમીન તરફ રહેલાં પગથિયાં ઉતરી પુન: જમણી તરફ વળતાં આ શૈલગૃહના પહેલા અથવા ઉપલા મજલે પહોંચી શકાય છે. (માલેખ છે, તલમાન, ઉપલો મજલો). આ મજલમાં એક ખુલ્લો કુંડ છે (પ્રસ્તુત આલેખ, સંજ્ઞા છે), જેને બર્જેસ સ્નાનાગાર હોવાની સંભાવના અભિવ્યક્ત કરી છે. આ કુંડ ત્રણ મીટર સમચોરસ છે?'. હુંડમાં ઉતરવા કાજે, તેની પશ્ચિમ તરફની દીવાલમાં ઉત્તર-દક્ષિણ (ઉભય તરફ જતાં પાંચ પાંચ પગથિયાં છે. આ કુંડ આશરે દોઢ મીટર ઊંડો છે. કુંડને ફરતી ત્રીસ સેન્ટી મીટર પહોળાઈની પાળ છે. નજીકમાં આવેલી ઓસરી લગભગ એક મીટર ઊંચાઈ ઉપર છે. કુંડની ત્રણ બાજુએ છાપરાયુક્ત બંધ ઓસરી છે અને ઉત્તરમાં મોટી દીવાલ છે, જેમાં એક બાકોરું છે (સંજ્ઞા નો , જ્યાં અસલમાં વાતાયન હોવાની સંભાવના બર્જેસ કરી છે. પશ્ચિમ તરફની ઓસરીમાં એક ઓટલી જેવું છે (સંજ્ઞા વ), બર્જેસ એને સ્નાન કરતી વખતે કપડાં મૂકવાનું સ્થાન હોવાનું સૂચવે છે. ઉત્તર તરફની દીવાલમાંથી પાણીની એક નીક દક્ષિણ તરફ આ ઓટલીની આગ’ થઈ પસાર થાય છે. અને ઓલીની દક્ષિણે આવેલી એક નાની કુંડીમાં પહોંચે છે. આ નીક વાટે પાણી કોઈ નજીકના કૂવામાંથી આવતું હોવાની અટકળ બર્જેસ કરી છે; પરંતુ ૧૯૫૮-૫૯ની ઋતુ દરમ્યાન ભારતીય પુરાવતું સર્વેક્ષણ સંસ્થાના પશ્ચિમ વર્તુળના પુરાવિકોએ આ ગુફાના ટોચના ભાગની સફાઈ કરી ૯૨થી ૧૨૨ સેંટીમીટર જેટલું પુરાણ દૂર કર્યું હતું. તેથી ગુફાના આ ભાગના અસમ દેખાવનો હૂબહૂ ખ્યાલ પ્રાપ્ત થયો. આ પુરા-રક્ષણ-કાર્યથી, બર્જેસ જેની અટકળ કરી છે તેમ, શૈલમાં કંડારેલી યોરસ કૂવો શોધી શકાય છે. આ કૂવો પશ્ચિમ તરફની ઓસરીની ભીતની પશ્ચિમે આવેલો છે. ગુફાની ટોચન જે ભાગ સાફ થયો હતો ત્યાં નાની નાની ખુલ્લી નીકો આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં કાર્ય દરમ્યાન પ્રત્યક્ષે જોઈ હતી. આથી, અનુમાની શકાય કે ચોમાસાનું પાણી આ નીકો માર ફતે નાની ટોકીઓમાં થઈ કૂવામાં જતું હશે અને એ રીતે કૂવામાં સંગૃહીત વરસાદના પાણીનો અન્યથા યથ ઉપયોગ સ્નાનાદિ, વાસ્તે થતું આવરણયુક્ત ત્રણ ઓસરીઓથી ઘેરાયેલા ચોકની દક્ષિણ બાજુના (સંજ્ઞા g) બે છેડા ઉપર એક એક ગોળ સ્તંભ છે, જેની ગોળાઈ રમવા મીટર જેટલી છે. પ્રત્યેક સ્તંભના સમગ્ર દંડ ઉપર ત્રાંસા પટ્ટા ઉત્કીર્ણ કરેલા છે. આ બે રતંભ ઉપરના પટ્ટાઓના ત્રાસ એકમેકથી ઊલટી દિશામાં રાખેલા હોઈ એ બે ભાત જાણે કે નીચે જતાં એકમેકની નિકટ આવતી હોય એમ દેખાય છે, એ બંને રતંભની સીધી દિશામાં તરાની દીવાલની અંદર બે અધરનુંભ આવેલા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy