SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ક્ષત્રપકાલીન ગુજરાત આ હારમાંની શેષ ત્રણ ગુફાઓ એકદમ સાદી છે (સંજ્ઞા , શ, ૫). પ્રત્યેક એકેક અલિંદ, ચોરસ બે સ્તંભ, એકેક વાર અને બબ્બે વાતાયનથી રક્ષાયેલી છે. આ ત્રણમાંની વચ્ચેની ગુફાને એક ઓરડી છે (સંજ્ઞા સ) અને શેષ બંનેને બળે છે (સંજ્ઞા અને જ્ઞ). વચ્ચેની ગુફાની ઓરડીના (સંજ્ઞા સ) ઓતરંગ ઉપર પાંચ પ્રતીક કંડારેલાં નજરે પડે છે, જેમાં ડાબેથી અનુક્રમે દર્પણ (?), મીનયુગલ, પૂર્ણઘટ, મીનયુગલ અને દર્પણ (?)નો સમાવેશ થાય છે. આ પ્રતીકો પરત્વે આ ગ્રંથલેખકનું સહુ પ્રથમ ધ્યાન ગયું છે; કેમ કે બર્જેસ અને સાંકળિયા ઉભયમાંથી કોઈએ આ વિશે ઉલ્લેખ કર્યો નથી. ગુફાસમૂહ કયા ધર્મનો : આ ગુફાઓ ક્યા ધર્મના ભિક્ષુઓ કાજે કોરાઈ હશે એ કહેવું મુશ્કેલ છે. આ ગુફા સમૂહોમાંની બીજી હારમાં આવેલી ટ સંજ્ઞિક ગુફામાં એક ચૈત્યગૃહ છે. એનો પછીતનો ભાગ અર્ધવર્તુળાકાર જેવો દેખાય છે. અસલમાં એમાં સ્તૂપ હોવાનો સંભવ સૂચવાયો છે. આથી, આ ગુફાસમૂહો બૌદ્ધધર્મી હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. બર્જેસ આ જ હારમાંની એક ગુફાના ઓતરંગનાં પ્રતીક બૌદ્ધ હોવાનું સૂચવે છે. તેઓ વધુમાં એમ પણ કહે છે કે આ ગુફાસમૂહો ઈસ્વીસનની બીજી સદીના અંતભાગમાં સુરાષ્ટ્ર વિસ્તારના ક્ષત્રપ રાજાઓએ કદાચ જૈન સાધુઓ વાસ્તે કોતરાવ્યા હોય અને પછીથી બૌદ્ધ ભીક્ષુઓનાં નિવાસ બન્યાં હોય. યુઆન શ્વાંગ પણ આ ગુફાઓ બૌદ્ધ હોવાનું વ્યક્ત કરે છે ૫. સાંકળિયા ઉપર્યુક્ત પ્રતીકોને જૈનધર્મી હોવાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ હરોળમાં પૂર્વતરફની બે ગુફાઓમાંની એકમાંથી ઉપલબ્ધ ક્ષત્રપ શિલાલેખમાં વસ્ત્રજ્ઞાન શબ્દો ધ્યાનાર્ય છે. આ શબ્દો જૈનધર્મના સૂચક છે અને સર્વોચ્ચ જ્ઞાનના અનુભવી એવા જૈન સિદ્ધો કે તીર્થકરો વાસ્તુ પ્રયોજાયેલા છે. આ ગુફાનાં ઉપર્યુક્ત પ્રતીકો અને મથુરાના જૈનસ્તૂપના આયાગપટ્ટ ઉપરનાં પ્રતીકો વચ્ચે સામ્ય હોવાનું મંતવ્ય સાંકળિયાનું છે". ઉજ્જયંત એ નેમિનાથનું તીર્થધામ હોઈ તેની નજીકમાં જૈન સાધુઓ માટે ગુફાઓ કંડારાઈ હોવાથી કલ્પના થઈ છે. પરંતુ આ ગુફાસમૂહો સ્પષ્ટતઃ જૈનધર્મી છે એમ સ્વીકારવું આ લેખકને યોગ્ય જણાતું નથી. શિલાલેખ જૈનધર્મી હોવા છતાંય એ આ જ ગુફાસમૂહનો છે એમ સાબિત થતું નથી; કેમ કે તે કોઈ દિવાલમાં જડેલો નથી. કહેવાતાં જૈન પ્રતીક આઠને સ્થાને અગિયાર છે. તેમાંય નંદ્યાવર્ત અને વર્ધમાન જેવાં જૈનધર્મસૂચક વિશિષ્ટ પ્રતીકનો અહીં અભાવ છે. સ્વસ્તિક, ભદ્રાસન, શ્રીવત્સ જેવાં પ્રતીક અન્ય ધર્મમાં પણ જોવાં પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રતીકોને આધારે આ ગુફાસમૂહ જૈન હોવાનું કહેવું સુયોગ્ય જણાતું નથી. સામાન્યતઃ જૈન સાધુઓની વસાહતોમાં પૂજાઅર્ચના માટે તીર્થંકરની પ્રતિમા હોવી જોઈએ. બિહારમાં પટણા નજીક લોહાનીપુરમાંનું જૈન મંદિર સૌથી પૂર્વકાલીન ગણાય છે, જયાંથી મૌર્ય સમયની કારીગીરીનાં લક્ષણો દર્શાવતી બે જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે. બાવા-પ્યારામાં જિનપ્રતિમાનો અભાવ સૂચક હોઈ એને જૈનધર્મી કહેવાનું અનુમાન સ્વીકાર્ય જણાતું નથી. ઢાંકની ગુફામાંથી જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એ ધ્યાનાર્હ છે. ખાસ તો શિલાલેખ નરમ રેતિયા પથ્થરનો છે જ્યારે ગુફાસમૂહ ખડક પ્રકારનો છે. ઉપર્યુક્ત પૃથકૃત વિશ્લેષણથી કહી શકાય કે બાવાપ્યારાની ગુફાઓને જૈનધર્મી કહી શકાય નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy