SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત ૨૮૮ છે; કેમ કે શિવે ઉમાને કલા(ચંદ્ર) કહી છે. શિવના અનુયાયીઓ કપાળમાં ત્રિપૂંડ અંગિકાર કરે છે, જેનો આકાર બીજાના ચંદ્ર જેવો છે. સોમવતી અમાવાસ્યાનું માહાત્મ્ય અહીં વિચારવા જેવું ખરું; કારણ કે ચંદ્રકલાની વધઘટને કારણે પૂનમ અને અમાસ અનુભવાય છે. શૈવયોગીઓમાં સોમવિદ્યા વિશેષ ખ્યાત છે. આથી, સોમવિદ્યાના ઉપાસકો સોમનાથમાં હોવા બાબતે અટકળ પ્રચારિત થઈ છે. આપણા દેશની સાંસ્કારિક પરંપરામાં બાર જ્યોતિર્લિંગનો મહિમા છે, જેમાં સોમનાથનો ઉલ્લેખ પ્રારંભે છે. આમાં સોમનાથ માટેનું વિશેષણ આ પ્રકારે છેઃ ખ્યોતિર્મય ચન્દ્રના વર્તસમ્. સોમવિદ્યાના ઉપાસકો એવા શૈવયોગીઓ પોતાના મસ્તકે ચંદ્રકલાનું ચિહ્ન ધારણ કરે છે". પ્રસ્તુત વિવરણી વિશ્લેષણથી એવું સૂચિત થાય છે કે સોમનાથમાં ચંદ્રપૂજાનું મહત્ત્વ હોય. ક્ષત્રપોના સિક્કાના પૃષ્ઠભાગમાં પર્વતની ટોચે અને ઉપલા શિખરની ડાબી બાજુએ એમ ચંદ્રની બે આકૃતિઓ છે. આમાં ડાબીબાજૂનો ચંદ્ર, જમણી તરફ સૂર્યની આકૃતિ છે. તેથી, પ્રકૃતિના શાશ્વત તત્ત્વનું સૂચન કરે છે એવી દલીલ વ્યક્ત થઈ શકે; પરંતુ પર્વતની ટોચની ઉપ૨નો વધારાનો ચંદ્ર ક્ષત્રપો ચંદ્રના ઉપાસકો હોય એવું અનુમાન કરી શકાય. તદનુસાર સંભવતઃ ક્ષત્રપકાળ દરમ્યાન આપણા પ્રદેશમાં ચંદ્રની પૂજા પ્રચારમાં હશે અને સોમન!-પ્રભાસ તેનું મુખ્ય કેન્દ્ર હશે એવું સૂચવી શકાય. સૂર્યપૂજા પ્રભાસમાં પૂર્વકાળમાં સૂર્યપૂજા થતી હતી એવો નિર્દેશ મહાભારતના વનપર્વમાં (અધ્યાય ૧૩૨, શ્લોક ૭) છે. આજેય પ્રભાસમાં સૂર્યમંદિર છે. પ્રભાસક્ષેત્રનું અપર નામ ભાસ્કરક્ષેત્ર છે”. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન અને ભાસ્કર એટલે સૂર્ય એવા અર્થ અહીં આ સંદર્ભે વિચારવા યોગ્ય ખરા. સ્કંદપુરાણમાંના પ્રભાસખંડમાંની કથાનુસાર સૂચવી શકાય કે પ્રભાસક્ષેત્રમાં સૂર્યપૂજા પૂર્વકાળમાં અસ્તિત્વમાં હોવી જોઈએ. આપણે જોયું કે શૈવયોગીઓ અગ્નિ, સૂર્ય અને ચંદ્રને સરખું મહત્ત્વ આપે છે એ હકીકત પણ અહીં વિચારણીય છે. પ્રભાસમાં સોમનાથનું મંદિર અને ચંદ્રપૂજા વિદ્યમાન હોય તો સૂર્યપૂજાનું અસ્તિત્વ અવગણી શકાય નહીં જો કે આ વાસ્તે પ્રત્યક્ષ પ્રમાણો ઉપલબ્ધ નથી. જૈનધર્મ આ સમયના આપણા પ્રદેશમાં જૈનધર્મની લોકપ્રિયતાનો ખ્યાલ જૈનાચાર્યોની પ્રવૃત્તિ ઉપરથી મળી રહે છે. આર્ય ખપુટ′, પાદલિપ્તસૂરિ, નાગાર્જુન, વજ્રભૂતિ, સિદ્ધસેન દિવાકર, મલ્લવાદીસૂરિ ઇત્યાદિ જૈનાચાર્યો” આપણા પ્રદેશ સાથે સીધી રીતે સંકળાયેલા હતા. નાગાર્જુન સુરાષ્ટ્ર વિસ્તારના વતની હતા. એકદા પાટલીપુત્રના પાદલિપ્તાચાર્ય તીર્થયાત્રા અંતર્ગત ઢંકપુરી (ઢાંક) પધાર્યા, ત્યારે નાગાર્જુનને તેમનો સમાગમ થયો. નાગાર્જુન તેમની પાસેથી રસસિદ્ધિ પામ્યા અને ગુરુના સ્મરણાર્થે શંત્રુજયની તળેટીમાં પાદલિપ્તપુર (વર્તમાન પાલિતાણા) નામનું નગર વસાવ્યું અને પર્વત ઉપર જૈન ચૈત્ય સ્થાપી મહાવીરનું પ્રસ્થાપન કર્યું તેમ જ ગુરુની મૂર્તિ પણ સ્થાપિત કરી. આ ઉપરાંત નાગાર્જુનને શેઢી નદીના કિનારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy