SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ક્ષત્રપકાલીન ગુજરાત પાદનોંધ ૧. રુદ્રદામાનો શૈલલેખ શુદ્ધ સંસ્કૃતમાં હોવા છતાંય તેના પોતાના જ સિક્કા પ્રાકૃત મિશ્રિત સંસ્કૃતમાં છે. તો નહપાનના સમયના શિલાલેખો (ગુફાલેખો) પ્રાકૃતમાં હોવા છતાંય એના સિક્કાઓ પ્રાકૃતમાં નથી પણ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસકની રુચિ-અભિરુચિ જાહેર ફરમાનોની ભાષા ઉપર અસર કરે છે. ક્ષત્રપો પૂર્વેના ગુજરાતના અભિલેખોમાં લખાણ ગ્રીક અને ખરોષ્ઠીમાં જોવા મળે છે. ફલત: આ કાળના આરંભના બે ત્રણ રાજાઓએ ખરોષ્ઠી લિપિને ચાલુ રાખી હોય એ સ્વાભાવિક છે. ૩. ભૂમક, નહપાન અને ચાષ્ટનના સિક્કામાં ઉભય લિપિનો પ્રયોગ જોવા મળે છે. ૪. ચારુનના પૌત્ર રુદ્રદામાના સમયથી. અશોકકાલીન લિપિમાં સામાન્યતઃ આડી અને ઊભી સીધી રેખાઓનો ઉપયોગ દેખાય છે. જયારે મૈત્રકાલીન લિપિના અક્ષર સરખા, સીધા મરોડના અને કદમાં નાના છે. ૬. સંસ્કૃત લેખમાં “ળ”નો પ્રયોગ થયો છે એ અસાધારણ ગણાય. સામાન્ય રીતે સંસ્કૃતમાં હંમેશા ‘ળ'ને સ્થાને ‘લ’ વર્ણનો વિનિયોગ થાય છે. ૩અને૪ દાણી, ઈન્ડિયન પ્રેલિગ્રફિ, પૃષ્ઠ ૯૬. અને૧૨ બૂહ્નર, ઇન્ડિયન સ્પેલિગ્રાફ, પૃષ્ઠ ૬૧. ૧૦. ઓઝા, ભારતીય પ્રાચીન લિપિમાળા, લિપિ પટ્ટ ૬માં જુઓ અને . ૧૧અને૨૩ દાણી, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૬. ૧૪. લિપિ, તેના મરોડ, તેનાં લક્ષણો વગેરે વિશે વધુ માહિતી માટે જુઓ .. ચી. પરીખ, ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ, અમદાવાદ ૧૯૭૪. આમ તો આ સંદર્ભલેખક અને આ ગ્રંથલેખક ગુરુબંધુ તરીકે અન્વેષણકાર્ય સાથે રહીને કરતા હતા. આથી, લિપિ વિશે, ખાસ તો ક્ષત્રપકાલીન લિપિ વિશે બંને લેખકો પરસ્પર ચર્ચા વિચારણા કરતા રહેતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy