SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેર સંખ્યામાં ચાંદીના છે (રસેશ જમીનદાર, ઉપર્યુક્ત, ૧૯૯૪, પૃષ્ઠ ૫૮). ટૂંકમાં, ભારતમાં ચાંદીના સિક્કા પૂર્વકાલમાં તૈયાર થતા હતા તેથી કનિંગહમનું વિધાન સ્વીકાર્ય બનતું નથી. ક્ષત્રપોના સિક્કામાં ઉપયોગાયેલી ચાંદી રાજસ્થાનની ખાણોમાંથી આવેલી હોવાનો અભિપ્રાય ૨.ના.મહેતાએ આપ્યો છે. દેવની મોરીના સિક્કાને તેમણે રાસાયણિક પ્રક્રિયાથી તપાસી આવો મત દર્શાવ્ય છે (એવેશન એટ દેવની મોરી, પૃષ્ઠ ). ૫. વીરદામા સિવાયના રાજાઓના સિક્કા માટે (જુઓ રેપ્સન, ૧૧૩). વીરદામાના સિક્કા માટે જુઓ (અ.સ. ગદ્રે, ૬. રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૧૨૨. ૭. સૌદરરાજન, જન્યુસોઇ., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૧૧૮થી. ૨૨૯ કેટલૉગ, પૃષ્ઠ ૮૫, ૯૩, ૧૦૫ અને ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૮). ૮. ગુજરાતમાંથી ઉપલબ્ધ ગ્રીક રાજવી અપલદત્તના કાંસાના સિક્કા ઉપર વૃષભ અને હાથીની આકૃતિઓ છે તે આ સંદર્ભે ધ્યાનાર્હ રહે. ૯. ઇન્સા.બ્રિટા., ૧૧મી આવૃત્તિ, પુસતક ૧૬, પૃષ્ઠ ૬૧૯. ૧૦. એના સિક્કાના અગ્રભાગે એની મુખાકૃતિ છે (સી. જે. બ્રાઉન, કૉઇન્સ ઑવ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૩, પટ્ટ ૨, આકૃતિ ૧; ગૌ. હી. ઓઝા, પ્રાચીન મુદ્રા, પૃષ્ઠ ૩૨). ૧૧. રેપ્સન, કૅટલૉગ, ફકરો ૮૮. ૧૨. સી.જે. બ્રાઉન, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૬ અને ૩૪. વધુ માહિતી માટે જુઓ રસેશ જમીનદાર, ૧૯૯૪, પૃષ્ઠ ૧૦૮થી. ૧૩. શરૂઆતના ત્રણેક રાજાઓ શુદ્ધ ગ્રીક લખાણનો અને સાથે ખરોષ્ઠી લેખનો ઉપયોગ કરે છે. તે પછી ખરોષ્ઠી એકદમ અદૃશ્ય થઈ જાય છે અને ગ્રીક લખાણ કહેવાતા ગ્રીક-રોમીય અક્ષરો તરીકે માત્ર સુશોભન સ્વરૂપે ચાલુ રહે છે. ૧૪. આ ઉપરથી રેપ્સન એવું સૂચન કરે છે કે સંભવતઃ આ પદ્ધતિ અન્ય ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપર પણ અંકિત હોવી જોઈએ. (કેટલૉગ, ફકરો ૧૨૬). પણ ગ્રીક-રોમીય લખાણમાં અંત અને બ્રાહ્મીમાં ઉપસાવેલા વર્ષ-સંખ્યા વચ્ચે વર્ષે લખવા જેટલી જગ્યા હોવી જોઈએ, જે સંભવતઃ દેખાતી નથી. આથી અનુમાની શકાય કે ક્ષત્રપવંશના આ બે રાજાઓએ આ પ્રથા પહેલપ્રથમવાર અપનાવી હોય અને તો ક્ષત્રપવંશીય સિક્કાના ઇતિહાસમાં આ એમનું પ્રદાન ગણાવી શકાય. ૧૫. રેપ્સન, કેટલૉગ, પૃષ્ઠ ૭૬, ૫ટ્ટ ૧૦. ૧૬. આ તરંગ-રેખા પ્રાયઃ સમુદ્રનું સૂચન પણ કરતી હોય, પણ એની મર્યાદિત લંબાઈ ઊંચાઈ જોતાં એ નદીનું સૂચન કરતી હોવાનું સંભવિત જણાય છે. ચંદ્ર-સર્વની જેમ સરિત-પર્વત્ એ આંતરિક સાન્નિધ્ય વધારે ધરાવે છે. Jain Education International ૧૭. કેટલૉગ, ફકરો ૯૨ અને ૧૦૦. પરંતુ આંધ્રના રાજાઓના કેટલાક સિક્કા ઉપર ચૈત્યનની આકૃતિઓ છે તો કેટલાક ઉપર પર્વતની એવું વાસુદેવ ઉપાધ્યાયનું મંતવ્ય છે (ભાસિ., પૃષ્ઠ ૧૦૪-૧૦૫, પટ્ટ ૬). આથી, આંધ્ર રાજાઓ ચૈત્ય અને પર્વતનાં પ્રતીક ભિન્ન ભિન્ન રીતે પ્રયોજતા હોવાનું સૂચિત થાય છે. આ કારણે રેપ્સનનો મત સ્વીકાર્ય રહેતો નથી. કોણે કોની પાસેથી પ્રસ્તુત પ્રતીકનું અનુકરણ કર્યું તેના વિવાદને બાજુએ રાખીએ તો એટલું તો સ્પષ્ટ થાય છે કે આ બંને રાજવંશો વચ્ચે કોઈ પ્રકારના સંબંધો હતા. બાકી ધ્યાનાર્હ બાબત એ છે કે સનાતન કે શાશ્વત બાબતોનાં અનુકરણ તો સહુ કોઈ કરી શકે છે જેમાં કોઈ કોઈની અસર કે અનુકરણ જોવાં જરૂરી નથી અને પશ્ચિમી ક્ષત્રપો અને સાતવાહનો એમાં અપવાદ નથી. (જુઓ રસેશ જમીનદાર, ‘સમ થૉટ્સ ઑન ધ મૂટ પ્રોબ્લેમ્સ ઑવ ધ ટુ રૉયલ ડાયનેસ્ટીઝ ઑવ વેસ્ટર્ન ઇન્ડિયા; એન એપ્રેઇઝલ', પંચાલ, પુસ્તક ૧૦, ૧૯૯૮, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy