SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેર ૨૧૯ ત્યારે રાજા સંભૂતિએ એને શિરસ્ત્રાણધારી મુખાકૃતિવાળા ચાંદીના સિક્કા ભેટ ધર્યા હતા. આ અપવાદ સિવાય આપણા રાજાઓના સિક્કા ઉપર આ પ્રથા ક્ષત્રપો પૂર્વે જોવા મળતી નથી. સંભૂતિના સિક્કા ઉપરની મુખાકૃતિને રેસન ગ્રીક અસરયુક્ત હોવાનું સૂચવે છે. પરંતુ આપણા દેશમાં સૌ પ્રથમ ગ્રીક રાજા સિકંદર હતો તો પછી એના આગમન સમયે સંભૂતિએ ભેટ આપેલા સિક્કા ઉપર ગ્રીક અસર હોવાનું કેવી રીતે માની શકાય ? આ પ્રાંત ઉપર ગ્રીકો પૂર્વે ઈરાની હકૂમત હતી અને ઈરાની સિગ્લોસ સિક્કા અહીં આપણી પદ્ધતિએ નિર્માણ થતા હતા, જેના અગ્રભાગે રાજાની મુખાકૃતિ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે સંભૂતિના સિક્કા ઉપર ઈરાની સિગ્લોસ સિક્કાની અસર હોય એ વધુ સંભવિત છે. ક્ષત્રપોના પૂર્વજ ઈરાનથી આવેલા હોવાનું મનાય છે. તેથી એમના સિક્કા ઉપર સંભવતઃ આ પ્રથા ઈરાની અસર દર્શાવતા હોવાનું સમજાય છે. ભારતમાંના ગ્રીક રાજાઓના કેટલાક સિક્કા ઉપર રાજાની મુખાકૃતિ અને મૉનઝેમ જોવા મળે છે. અપવાદ સિવાય એમના બધા જ સિક્કા ગોળ અને અર્ધદ્રમ્મ જેવા હતા, તથા ઈરાની કે ભારતીય ઢબે તૈયાર થતા હતા. શકપદ્ધવ રાજાઓના સિક્કા ઉપર ઘોડેસ્વાર રાજાની આકૃતિ હોય છે. કૃષાણવંશના પહેલા બે રાજાઓના સિક્કા ઉપર મુખાકૃતિ જોવા મળે છે, જયારે કણિષ્ક અને એના અનુગામી રાજાઓના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિને સ્થાને કાંતો રાજાના પૂરા કદની ઊભી આકૃતિ, કાં તો પલાંઠીયુક્ત આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. આમ, ક્ષત્રપો પૂર્વેના ત્રણેય રાજવંશના સિક્કાઓનાં નિરક્ષણથી ક્ષત્રપ સિક્કા ઉપર કોની કેટલી અસર છે તે કહેવું મુશ્કેલ છે. રાજાની મુખાકૃતિને ફરતે સિક્કાના કિનારની સમાંતર શોભારૂપ ટપકાંની હાર અને મુખાકૃતિની વચ્ચે વૃત્તાકારે ગ્રીક-રોમીય લિપિમાં લખાણ છે. આ લખાણના આરંભ અને અંતની વચ્ચે બ્રાહ્મી આંકડામાં વર્ષસૂચક સંખ્યા છે, આરંભના થોડાક રાજાઓના સિક્કા સિવાય. સ્વામી સિંહસેન અને સ્વામી રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષસૂચક સંખ્યા પૂર્વે વર્ષે એવું બ્રાહ્મીમાં લખાણ સ્પષ્ટતા જોવા મળે છે. પૉટન અને સીસાના સિક્કા પૉટનના સિક્કા ઉપર ઊભેલો દક્ષિણાભિમુખ વૃષભ અને વૃષભની ઉપર વર્ષ તેમ જ ગ્રીક-રોમીય લેખ છે. આ પ્રકારના સિક્કા જીવદામા, રુદ્રસિંહ ૧લો અને વીરદામાના છે. રુદ્રસેન ૧લો અને દામસેનના સિક્કાઓ ઉપર દક્ષિણાભિમુખ ઊભેલો હાથી છે. ડાબેજમણે સૂર્યચંદ્રનાં ચિહ્નો અંકિત છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. સીસાના સિક્કા ચોરસ છે અને દક્ષિણાભિમુખ વૃષભ અને કિનારને સમાંતર ટપકાંની હાર અંકિત થયેલાં છે. પૃષ્ઠભાગ તાંબાના સિક્કા ભૂમકના તાંબાના કેટલાક સિક્કા ઉપર ડાબી તરફ દક્ષિણાભિમુખ સિંહની આકૃતિ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy