SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બાર ૨૧૧ કાચનો ઓપ ચડાવેલાં વાસણો પ્રમાણમાં ઘણાં ઓછાં મળ્યાં છે. * આ કાલના થરોમાંથી અબરખ છાંટેલાં વાસણો મળ્યાં છે જેમાં ઘડા અને હાડકાં મુખ્ય છે. રોજિંદા વપરાશનાં અને ભોજનાદિ વખતે ઉપયોગમાં લેવાતાં આ વાસણોમાં ઘણી વિવિધતા વર્તાય છે. માટીની ઈટો માટીનાં વાસણો ઉપરાંત માટીમાંથી નિર્માણ થયેલી ઈંટોનો બહોળો ઉપયોગ ક્ષત્રપકાળમાં જોવા મળે છે. આ સમયે પકવેલી ઈંટો ઘણા પ્રમાણમાં તૈયાર થતી અને એનાં કદ સામાન્યતઃ ૪૬૪૨૮૪૪૭થી ૯૨ સેન્ટીમીટરનાં જોવા મળે છે. ઈંટોનો ઘાટ લંબચોરસ હતો. જો કે જરૂર પ્રમાણે એકાદ ખૂણો ગોળાકાર પણ બનાવાતો. સ્થાપત્યમાં ઈંટોનો વિનિયોગ થતો હોવાનું બોરિયા સ્તૂપ, ઈંટવાનો વિહાર અને દેવની મોરીના મહાવિહાર તેમ જ મહાતૂપના અવલોકનથી સ્પષ્ટ થાય છે. ઈંટો સાદી અને સુશોભિત એમ બંને પ્રકારે નિર્માણ થતી. સૌથી વધુ આકર્ષક અને સુશોભિત ઈંટો દેવની મોરીના બૌદ્ધતૂપની છે. બાજરી કે ડાંગરનાં છોડાંની જરૂર પ્રમાણે મેળવણી કરીને ઈંટો તૈયાર થતી. ઈંટોનાં અવલોકનથી સમજાય છે કે ક્ષત્રપ સમયના લોકો ઈંટો ઘણી સારી રીતે પકવતા. મકાનનાં છાપરાં માટે આ કાળમાં માટીમાંથી બનાવેલાં નળિયાં નોંધપાત્ર છે. લંબચોરસ ઘાટનાં આ નળિયાંની એક બાજુએ બે કાણાં રખાતાં. આ નળિયાં સપાટ હતાં. ઈંટવા, કામરેજ, દેવીની મોરી જેવાં સ્થળોએથી આવાં નળિયાં હાથ લાગ્યાં છે. ઈંટોના કિલ્લા પણ બાંધવામાં આવતા. આવા કિલ્લા શામળાજી, શહેરા જેવાં સ્થળોએ જોવા મળે છે. તળાવની માટીની પાળની ઉપર ઈંટો પાથરી પાળને મજબૂત બનાવવા વાસ્તના પુરાવા દેવની મોરી પાસેનાં જળાશયોના અભ્યાસથી હાથ લાગ્યા છે. પકવ્યા વિનાની ઈંટોનાં મકાન આ સમયે બનતાં હોવાના સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત થયા છે. માટીની ભીંત વડે પઢેરી મકાન બંધાતાં. માટીની ઈંટો આમ કલામય અને આકર્ષક બનતી હતી. રમકડાં અને મૂર્તિઓ માટીમાંથી વિવિધ પ્રકારનાં રમકડાં અને મૂર્તિઓ પણ નિર્માણ થતી હતી, જેમાં દેવદેવીની તથા માનવોની આકૃતિઓ, પશુઓની આકૃતિઓ, લખોટી, ચકરડી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. માટીને હાથથી ઘાટ આપીને અને બીબાંમાં ઢાળીને માનવાકૃતિઓ તૈયાર થતી હતી. આકૃતિઓ આકર્ષક બનતી. દેવની મોરીમાંથી પ્રાપ્ત બુદ્ધ મૂર્તિઓ સર્વોત્તમ કક્ષાની ગણાવી શકાય. કારીગરોએ કેવી ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી તેનો સારો ખ્યાલ આ બુદ્ધમૂર્તિઓથી સંપડાય છે. હકીકતે, ગુપ્તો પૂર્વે પશ્ચિમ ભારતમાં સ્થાપત્ય અને શિલ્પમાં એક આગવી શૈલી નિર્માણ પામી હતી અને તેને ક્ષત્રપશૈલીથી ઓળખાવી શકાય. આ ઉપરાંત માટીનાં રમકડાં તૈયાર થતાં, જેમાં ગોળ લખોટીનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. પકવેલી આ લખોટીઓ બાળકો રમતાં હશે. કદાચ ગોફણમાં તેનો ઉપયોગ થતો હોવો જોઈએ. ઉપરાંત પૈડાં અને ચકરડીઓ સારા પ્રમાણમાં બનાવાતાં. પૈડાં ઠીંકરાંમાથી બનાવવામાં આવતાં. સામાન્યતઃ તૂટેલા ઘડા કે માટલાંનાં ઠીંકરાંને તોડી એને ગોળ ઘાટ આપવામાં આવતો અને એ રીતે પૈડાં તૈયાર થતાં. માટીની બીજી ચીજવસ્તુઓમાં બળદ, હાથી, ગેંડા, નીલગાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy